20 નવેમ્બર નાં ગુરુ નું થઈ રહયું છે રાશિ પરિવર્તન, બદલાઈ જશે આ બે રાશિનાં જાતકોની કિસ્મત

20 નવેમ્બર નાં ગુરુ નું થઈ રહયું છે રાશિ પરિવર્તન, બદલાઈ જશે આ બે રાશિનાં જાતકોની કિસ્મત

ગુરુ ગ્રહ ૨૦ નવેમ્બર નાં મકર રાશિમાં પ્રવેશ કરે છે. અને ગુરુનાં આ ગોચર થી મકર રાશિનાં જાતકોના જીવનમાં પૂરી રીતે બદલાવ આવી જશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુનું ગોચર કુંડળીમાં ત્રીજા ભાવમાં થશે અને આ સ્થાન ને પરાક્રમ સ્થાન ગણવામાં આવે છે. એટલે કે ગુરુ નું આ રાશિ પરિવર્તન મકર રાશિનાં લોકોને ઉત્તમ સાબિત થશે. આ રાશિનાં જાતકો ને ખૂબ જ લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે.ગુરુ નું મકર રાશિમાં ગોચર કરવાથી આ રાશિનાં જાતકો ને ધનલાભ થશે. અને આ પરિવર્તન થી નોકરિયાત વર્ગને, વ્યાપારીઓને આર્થિક લાભ મળશે. અને તેનું આર્થિક પક્ષ મજબૂત થશે.

Advertisement

વિવાહિતજીવન રહેશે ઉત્તમ

મકર રાશિનાં જાતકો માટે વિવાહિત જીવન પર ગુરુનાં ગોચર ની શુભ અસર દેખાય છે. પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધશે. અને દરેક કાર્યમાં જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. સાથે જ પારિવારિક જીવન પણ સારું રહેશે. બાળકો થી લાભ થશે. અને ઘરમાં ખુશીનો માહોલ બનશે.

તંદુરસ્તી માં સુધારો

મકર રાશિનાં જાતકો ની તંદુરસ્તી સારી રહેશે. આ રાશિનાં જાતકો જો કોઇ બીમારી થી પરેશાન હશે તો તે બીમારી દૂર થઈ જશે. એટલે કે, તંદુરસ્તી ની દષ્ટિએ પણ આ ગોચર મકર રાશિનાં લોકો માટે ખૂબ જ સારું શુભ ફળ આપશે. આ રાશિનાં જાતકો એ દાન ધર્મ કાર્ય વધારે કરશે. એવું કરવાથી પુણ્ય ની વધારે પ્રાપ્તિ થશે.

વૃશ્ચિક રાશિ પર પડશે  સારો પ્રભાવ

૨૦ નવેમ્બર નાં મકર રાશિમાં આ ગ્રહ પ્રવેશ કરશે. અને આ રાશિમાં ૬ એપ્રિલ ૨૦૨૧ સુધી રહેશે. મકર રાશિની સાથે ગુરુ નું પરિવર્તન વૃશ્ચિક રાશિનાં જાતકો માટે પણ ખૂબ જ શુભ રહેશે. તો ચાલો જાણીએ ગુરુ નું ગોચર વૃશ્ચિક રાશિ નાં જાતકો પર કેવો પ્રભાવ પડશે.ગુરુનાં ગોચર થી વૃશ્ચિક રાશી નાં જાતકો ને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. તે જે પણ કાર્ય શરૂ કરશે તેમાં તે સફળ રહેશે. વૃશ્ચિક રાશિનાં લોકો જો કોઇ નવા કાર્યની શરૂઆત કરવાનો વિચાર કરી રહ્યાં હોય તો, તેનાં માટે આ ઉત્તમ સમય છે. અને ૨૦ નવેમ્બર પછી પછી પણ નવા કાર્ય શરૂ કરી શકે છે. આ ઉપરાંત આ રાશિના જાતકો ને ધનલાભ થશે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *