આ ૪ રાશિનાં જાતકો ને સહન કરવું પડે છે જીવનમાં સૌથી વધારે દુ:ખ, ભાગ્ય પણ તેમનો સાથ આપતું નથી

આ ૪ રાશિનાં જાતકો ને સહન કરવું પડે છે જીવનમાં સૌથી વધારે દુ:ખ, ભાગ્ય પણ તેમનો સાથ આપતું નથી

દુઃખ એક એવી વસ્તુ છે કે જેનાથી દરેક વ્યક્તિ પોતાને દૂર રાખવા ઈચ્છે છે. પરંતુ જો ભાગ્યમાં હોય તો ગમે તેટલી કોશિશ કરવા છતાં પણ આપણા જીવનમાંથી દુઃખ દૂર થતું નથી. ઘણા લોકોનાં જીવનમાં બીજા કરતા વધારે દુઃખ સહન કરવું પડેછે. તેનું કારણ તેની રાશિ અને તેની સાથે જોડાયેલ ગ્રહ-નક્ષત્ર હોય છે. હંમેશાં તેનાં ગ્રહ-નક્ષત્રો એવી પોઝિશનમાં રહે છે કે તેનો નેગેટિવ પ્રભાવ પડે છે. અને ભાગ્ય કમજોર અને દુર્ભાગ્ય પ્રબળ બને છે. જો તમારી સાથે પણ એવું જ હોય તો તેનું ટેન્શન ના લેવું. અમે અહીં તેનાથી બચવાનાં  ઉપાયો જણાવીશું

મેષ રાશિ

 

આ રાશિનાં જાતકો નાં જીવનમાં ખુશી લાંબો સમય સુધી રહેતી નથી. દુઃખ તેમની કુંડળી માં રહે છે. તેમની એક સમસ્યાનું સમાધાન થાય છે કે બીજી સમસ્યા તરત જ સામે હોય છે. આ રાશિનાં લોકોનાં જીવનમાં વારંવાર દુઃખ આવ્યા કરે છે. આ દુઃખને દૂર કરવા માટે તમારે બુધવારે ગણેશજી ને ભોગ ધરાવવો જોઈએ. આ પ્રસાદી તમારે પોતે લઈ અને બીજાઓને પણ આપવી તેમ કરવાથી તમારા ભાગ્ય નો ઉદય થશે.

કર્ક રાશિ

આ રાશિનાં લોકો તેનાં ભાગ્ય નાં કારણે પરેશાન હોય છે. તેમને જે વાતનો ડર હોય છે હંમેશા તે પરિસ્થિતિ તેનાં સામે આવીને ઊભી રહે છે. તેનાં દરેક કાર્યમાં તેનું દુર્ભાગ્ય  વિધ્ન ઉત્પન્ન કરે છે. તેઓને પોતાનાં જીવનમાં ટેન્શન ફ્રી રહેવા નો મોકો મળતો નથી. આ રાશિનાં લોકો જો શનિવારે બજરંગબલી ને તેલનો દીવો કરે. અને હનુમાન ચાલીસા નાં  પાઠ કરે તો તેનાં જીવનમાંથી દુઃખ દૂર થઈ શકે છે.

કુંભ રાશિ

આ રાશિનાં જાતકો નાં જીવનમાં દુઃખો નો ભંડાર હોય છે. જીવનમાં તેને ખૂબ જ પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. તેઓ જીવનમાં ખુશ રહેવા માટે ખૂબ જ પ્રયાસ કરે છે. પરંતુ પરિસ્થિતિઓ એવી બની જાય છે કે જે તેનાં કંટ્રોલની બહાર હોય છે. પોતાનાં જીવનને સુખી બનાવવા માટે તેમણે દર ગુરુવારે ગાયને ધી ચોપડેલી રોટલી અને ગોળ આપવા જોઈએ. તેનાથી તેનાં જીવનમાં અચાનક થી આવનાર પરેશાનીઓ દૂર થઈ જશે.

મીન રાશિ

આ લોકોનાં જીવનમાં ક્યારેય શાંતિ હોતી નથી. તેઓનાં જીવનમાં કંઈક ને કંઈક એવું બન્યા જ કરે છે જેથી તેઓ શાંતિથી રહી શકતા નથી. ઘણીવાર તેમને  પોતાનાં જીવન થી નફરત થવા લાગે છે. આવા લોકોને શાંતિ મેળવવા માટે દર સોમવારે શિવજી ને જળ ચડાવવું જોઈએ. અને શિવજી નું વ્રત રાખવું જોઇએ. જેથી તેનાં જીવનમાં આવેલા દરેક દુઃખ દૂર થાય અને શાંતિ પ્રાપ્ત થાય.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *