આ રીતે સૂવાથી જલદીથી આવી શકે છે વૃદ્ધત્વ, થઈ શકે છે આ નુકશાન

આ રીતે સૂવાથી જલદીથી આવી શકે છે વૃદ્ધત્વ, થઈ શકે છે આ નુકશાન

દિવસભરની ભાગદોડ અને કામકાજ બાદ દરેક લોકો સારી અને મીઠી ઊંઘ ઈચ્છે છે અને ઊંઘ આપણ ને પથારીમાં જ આવે છે. આમ જોઈએ તો જ્યારે પણ કોઈ વ્યક્તિ સુવે છે તો પોતાના માથા નીચે તકિયો રાખીને સુવે છે. કેટલાક લોકો એવા હોય છે જેને તકિયા વગર ઊંધ આવતી નથી. જયારે ઘણા લોકો વધારે જાડો તકિયો રાખીને સૂવાનું પસંદ કરે છે ઘણા લોકોને પાતળો તતકિયો પસંદ આવે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે માથાની નીચે ત્રણ થી ચાર તકિયાઓ રાખે છે. જો તમે પણ તકિયા વગર  ઉંધી શકતા ન હો તો તમારે એ આદત માં સુધારો લાવવો જોઈએ અને તેનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

Advertisement

તકિયો રાખીને સુવાથી કરોડરજ્જુમાં થાય છે નુકસાન

તકિયો નો સતત ઉપયોગ કરવાથી એક સમયે તમારા કરોડરજ્જુ ધીરે ધીરે વાંકી થવા લાગે છે માટે આજથી જ તમે તેનો ઉપયોગ બંધ કરી દો. તેનો ઉપયોગ બંધ કરવાથી  હાડકા ને થતા નુકસાન થી બચી શકશો સાથે જ તમને કમર નાં દુખાવામાં પણ આરામ મળશે.

ગરદન ની સમસ્યા

જે લોકો રોજ તકિયો રાખી ને ઉંધે છે તેને ડોકમાં દુખાવો થવા લાગે છે. આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે તેનાથી બચવા માટે રાતનાં માથા નીચે તકિયો રાખવાનું બંધ કરવું જોઈએ. એવું કરવાથી તમારા શરીરમાં લોહીનું સંચાર સારી રીતે થાય છે.

વૃદ્ધત્વ જલ્દી આવે છે

તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે, રાતના માથા નીચે તકિયો રાખીને સૂવાથી તમને જલ્દીથી વૃદ્ધત્વ આવી શકે છે. તેનું કારણ એ છે કે, તકિયો રાખીને સૂવાથી મોઢા પર કરચલીઓ જલ્દી પડવા લાગે છે. માટે તમે જો વધારે સમય સુધી સુંદર દેખાવા ઈચ્છતા હોવ તો રાત નાં સૂતી વખતે તકિયો લેવાનું બંધ કરી દેવું.

બાળકોની શ્વાસ નળી દબાવવાનું જોખમ

ઘણા લોકો પોતાના બાળકો નાં માથા નીચે પણ તકિયો રાખે છે. જો તમે પણ એવી ભૂલ કરતા હોવ તો આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તકિયો રાખવાથી બાળકો નો શ્વાસ દબાય છે. એવું દરેક વખતે થાય એ જરૂરી નથી પરંતુ તેનું જોખમ રહે છે તેથી આ રિસ્ક લેવું ના જોઈએ.

 

 

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *