આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિ એ આ પ્રાણી પાસેથી શીખવી જોઈએ આ 3 વાતો, દરેક કાર્યમાં મળે છે સફળતા

આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિ એ આ પ્રાણી પાસેથી શીખવી જોઈએ આ 3 વાતો, દરેક કાર્યમાં મળે છે સફળતા

ચાણક્યનીતિ ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે અને આ નીતિનું પાલન કરવાથી જીવન માં સફળતા પ્રાપ્ત થાય છે. આચાર્ય ચાણક્ય દ્વારા નીતિઓ લખવામાં આવી છે જેના કારણે તેને ચાણક્ય નીતિ કહેવામાં આવે છે. આચાર્ય ચાણક્ય એક જાણીતા રાજનીતિજ્ઞ, કુટનીતિજ્ઞ પ્રકાંડ અર્થશાસ્ત્રીનાં રૂપમાં વિખ્યાત હતા. તે ખૂબ જ તેજ દિમાગ ના હતા અને તેમને કોટીલ્ય પણ કહેવામાં આવતા હતા.

તેઓએ પોતાના નીતિ માધ્યમથી લોકોને સાચો રસ્તો અને સફળ જીવન કઈ રીતે મેળવવું તે સમજાવવાની કોશિશ કરી છે. સાથે જ જીવનમાં આવનાર સમસ્યાઓ નો કઈ રીતે સામનો કરવો તે તેની નીતિ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. જીવનમાં સફળતા મેળવવા માટે જો આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલ નીતિઓને ધ્યાનમાં રાખવાથી અને તેનું પાલન કરવાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમે જે ઈચ્છો તે તમે પ્રાપ્ત કરી શકશો.

અભિમાન ન કરવું

ચાણક્ય નીતિ કહે છે કે, અભિમાની લોકો બધાથી દૂર થઈ જાય છે આ પ્રકાર નાં લોકો ફક્ત પોતાનું જ સુખ જ વિચારે છે તેને બીજાની ભાવનાઓની કદર હોતી નથી તેથી અભિમાન થી દૂર રહેવું. દરેકને સમાન દ્રષ્ટિથી જોવા અને કોઈ પણ નિર્ણય અભિમાન માં આવીને લેવો નહીં. કારણ કે, અભિમાન માં આવીને લેવામાં આવેલ નિર્ણય વ્યક્તિને નુકસાન જ પહોંચાડે છે.

ઇન્દ્રિયોને વશમાં કરો

ચાણક્ય નીતિ અનુસાર બુદ્ધિમાન વ્યક્તિ એ પોતાના પર કાબૂ કરવો જોઈએ. જે લોકો ઇન્દ્રિયોને કાબૂ કરી શકે છે તે સરળતાથી પોતાના જીવન નાં લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. એવા લોકો નું ધ્યાન ફક્ત પોતાના લક્ષ્ય પર જ હોય છે. માટે સફળ થવા માટે ખૂબ જ જરૂરી છે કે તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી.

કરો આવો વહેવાર

આચાર્ય ચાણક્ય અનુસાર કોઈ પણ વ્યક્તિની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. તે દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ. એક લાલચી વ્યક્તિની સાથે કામ કરવા માટે તેને કોઈ વસ્તુ ઉપહાર માં આપીને સંતોષ કરી શકો છો. એક કઠોર વ્યક્તિ સામે હાથ જોડીને કામ કરાવી શકો છો જ્યારે એક મુર્ખ ને સમ્માન આપીને કામ કરાવી શકો છો. જ્યારે વિદ્વાન વ્યક્તિ પાસેથી તમે સત્ય કહીને કાર્ય કરાવી શકો છો.

હંમેશા સંતુષ્ટ રહો

જીવનમાં ફક્ત બે જ વ્યક્તિ સુખી રહી શકે જે સંતુષ્ટ રહે છે જે લોકો સંતુષ્ટ નથી રહેતા તેના જીવનમાં તેમને જેટલું પણ મળી છે તે તેને ઓછુ જ લાગે છે. જે લોકો શાંતિથી જીવવા ઈચ્છતા હોય તેને હમેશાં સંતુષ્ટ રહેવું જોઈએ. આપણે પશુઓ પાસેથી આ વાત શીખવી જોઈએ. ગધેડા પાસેથી ત્રણ વસ્તુ શીખવી જોઇએ બોજ ના છોડવો, શર્દી કે ગર્મી ની ચિંતા ન કરીને પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવું. અને સદા સંતુષ્ટ રહેવું.

લાલચ ન કરવી

જે લોકો લાલચી હોય છે તે હમેશા પૈસા પાછળ ભાગે છે તેને તેના જીવનમાં સફળતા મળતી નથી અને કોઈ પણ સરળતાથી પૈસાની લાલચ આપીને તેને પોતાના વશમાં કરી શકે છે. તેથી જીવનમાં લાલચ કરવાથી બચવું.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *