ભગવાન ગણેશજી તમારા ઘરનાં વાસ્તુદોષ કરશે દૂર, જાણો ક્યાં અને કઈ દિશામાં લગાવવી તેમની મૂર્તિ

ભગવાન ગણેશજી તમારા ઘરનાં વાસ્તુદોષ કરશે દૂર, જાણો ક્યાં અને કઈ દિશામાં લગાવવી તેમની મૂર્તિ

આપણે બધા આપણા ઘરમાં સજાવટ માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દરેક કોઈ ઈચ્છે છે કે, તેનું ઘર સુંદર લાગે. જેના માટે આપણે ઘરની દિવાલ પર પેન્ટ કરાવીએ છીએ અને ઘણી વસ્તુઓનો ઉપયોગ ઘરની સજાવટ માટે કરીએ છીએ. પરંતુ આ બધાની વચ્ચે આપણે વાસ્તુ પ્રત્યે ધ્યાન આપતા નથી. તમને જણાવી દઈએ કે, વાસ્તુ નાં નિયમોને નજર અંદાજ કરવાનાં કારણે ઘર પરિવારનાં લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોયતો ઘરમાં રહેનારા લોકોને શારીરિક માનસિક અને આર્થિક નુકશાનનો સામનો કરવો પડી શકે છે.

જો તમે તમારા ઘરનો વાસ્તુદોષ દૂર કરવા ઇચ્છતા હોવ તો એવી સ્થિતિમાં ભગવાન ગણેશજી તમારી મદદ કરી શકે છે. ભગવાન ગણેશજી તમારા ઘરનો  વાસ્તુદોષ દૂર કરે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવાય છે. તે પોતાના ભક્તો નાં દરેક વિઘ્ન દુર કરે છે. જો તમારા ઘર સાથે જોડાયેલ વાસ્તુદોષ દૂર કરવા ઇચ્છતા હોવ તો ઘરમાં ગણેશજીની મૂર્તિ અથવા ફોટો લગાવી શકો છો. આજે અમે તમને આ આ લેખનાં માધ્યમથી ભગવાન ગણેશજીની મૂર્તિ અથવા તો ફોટો કઈ દિશામાં લગાવવી જોઈએ તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

  • જો તમારા ઘર કે ઓફિસમાં કોઈ પ્રકારનો વાસ્તુદોષ હોય તો એવી સ્થિતિમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની મૂર્તિ અથવા ફોટો કોઈપણ દિશામાં લગાવી શકો છો તેનાથી તમને ફાયદો થાય છે.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે ગણેશજીની મૂર્તિ અથવા ફોટો લગાવી રહ્યા હો ત્યારે એ સમય દરમિયાન આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે, ભગવાન ગણેશજીનું મુખ દક્ષિણ દિશા અથવા નેતૃત્વ માં ન રહેવું જોઈએ. અન્યથા તેનાં કારણે વિપરિત પ્રભાવ પડી શકે છે.
  • તમારા મનમાં એક સવાલ જરૂર હશે કે, ભગવાન ગણેશજીની ઉભી મૂર્તિ લગાવવી જોઈએ કે, બેઠી તો તમને જણાવી દઈએ કે, ઘર માટે ગણેશજીની બેઠી મૂર્તિ લગાવવી જોઈએ અને ઓફિસમાં ગણેશજીની ઉભી મૂર્તિ લગાવવામાં આવે છે.

 

  • જો તમારા ઘરનાં મુખ્ય દ્વાર પર વિનાયક ની મૂર્તિ અથવા ફોટો લગાવવામાં આવે તો ઘરની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બની રહેશે. તમારા ઘરનાં મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ અથવા ફોટો એવી રીતે લગાવો કે, ગણેશજી ઘર તરફ જોઈ રહ્યા હોય.
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની વચ્ચે ઇશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં ભગવાન ગણેશજીની મૂર્તિ અથવા ફોટો લગાવો ખૂબ જ શુભ ગણાય છે. તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવી પરિસ્થિતિમાં સફેદ રંગના વિનાયકજી ની મૂર્તિ લગાવવી જોઈએ.

 

  • ઘરમાં ગણેશજીની મૂર્તિ અથવા ફોટો લગાવી રહ્યા છો તો એ સમય દરમિયાન એ વાતનું ધ્યાન રાખવું કે, ભગવાન ગણેશજીની સૂંઢ જમણા હાથ તરફ હોવી જોઈએ અને તેનું ચિત્ર લડ્ડુ અને મુષક સાથે હોવું જોઈએ.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરની અંદર એક સ્થાન પર ગણેશજી ની ત્રણ મૂર્તિઓ ન હોવી જોઈએ.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *