ડુંગળી નો રસ પીવાથી થાય છે ઘણા બધા ફાયદાઓ, આ બીમારીઓ થી બચી શકશો

ડુંગળી નો રસ પીવાથી થાય છે ઘણા બધા ફાયદાઓ, આ બીમારીઓ થી બચી શકશો

ઘણા લોકો એવા છે જેને ભોજન માં જો ડુંગળી નો મળે તો તેને ભોજન નો સ્વાદ આવતો નથી. ક્યારેક સબ્જી સાથે તો ક્યારેક સલાડ નાં તરીકે ડુંગળી નું સેવન કરવામાં આવે છે. ત્ ઘણા લોકો એવા પણ હોય છે જે મોઢા માં આવતી સ્મેલ નાં લીધે ડુંગળી ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ એવા લોકો ડુંગળી થી થતા ફાયદા થી વંચિત રહી જાય છે.આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે, ડુંગળી નાં નિયમિત સેવન થી તમને કયા કયા ફાયદા થઈ શકે છે. જણાવી દઈએ કે ડુંગળી માં એન્ટ્રી એલજિક્, એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી કાર્સિનોજેનિક તત્વો મોજુદ હોય છે. જે કોઈપણ બીમારી થી બચવા માં મદદ કરે છે. ચાલો જાણીએ તેના ફાયદા

Advertisement

ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે

આજના સમયમાં જ્યારે કોરોના મહામારી થી પુરી દુનીયા પ્રભાવિત થઈ રહી છે. એવામાં દરેક જગ્યા પર ઇમ્યૂનિટી ને સ્ટ્રોંગ કરવાની સલાહ આપવામાં આવે છે. ડુંગળી ની અંદર એવા તત્વો મોજૂદ છે કે જે બીમારીઓ ની સામે લડવાની ક્ષમતા વધારે છે. ડોક્ટરો નું માનવું છે કે, નિયમિત રૂપ થી ડુંગળી નું સેવન કરવા થી કેન્સર જેવી બીમારી થી બચી શકાય છે.

વાળ માટે ફાયદાકારક

ઘણા લોકોને વાળ ને લગતી સમસ્યાઓ હોય છે. જેમ કે વાળ ઉતરવા, બેજાન થઈ જવા વગેરે આ બધી સમસ્યાઓ ને દૂર કરવા માટે ડુંગળી અસરકારક ઇલાજ છે. ડુંગળી નાં રસ ને જો વાળોની જડ માં સારી રીતે લગાવવા માં આવે તો તેનાથી વાળ મજબૂત રહે છે અને તેમાં ચમક પણ આવે છે. આ ઉપરાંત વાળ ઉતરી રહ્યા હોય ત્યારે ડુંગળી નું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. ઘણા લોકો ડુંગળી નો રસ વાળ માં લગાવા ની પણ સલાહ આપે છે. એવું કરવાથી તમારા વાળ માં નમી રહે છે અને ચમકદાર થાય છે.

બ્લડ સર્ક્યુલેશન માટે ઉપયોગી

શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ જરૂરી છે જો શરીર માં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે નહીં થાય તો કોઈ અંગ માં લોહીની કમી ના લીધે ઘણી પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. તે માટે ડૉક્ટર પણ સલાહ આપે છે કે જો નિયમિત રૂપ થી ડુંગળી નું સેવન કરવામાં આવે તો બ્લડમાં કલોટીંગ થતું નથી, અને તેનાથી બ્લડ સર્ક્યુલેશન સરળતાથી થાય છે. આ ઉપરાંત ડુંગળી નો રસ પેટને લગતી સમસ્યા માટે પણ ખુબ ઉપયોગી છે. ઘણા લોકો એસીડીટી માટે પણ ડુંગળી નો રસ પીવા ની સલાહ આપે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ માં રાખે છે

બ્લડ પ્રેશર ઓછું અથવા વધારે હોવું તે બરાબર નથી. બ્લડ પ્રેશર નાં ઉતાર-ચઢાવ ના લીધે ઘણી બીમારીઓ નો સામનો કરવો પડે છે. માટે બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. ડુંગળી નું સેવન કરવા થી બ્લડ પ્રેશર ની બીમારી માં ખૂબ ફાયદો થાય છે. ડુંગળી ની અંદર મેગ્નેશિયમ તત્વ હોય છે, જે બ્લડપ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *