એક ચમચી મલાઈ ખાવા થી આંખો ની રોશ ની વધશે, અને અસંખ્ય ફાયદાઓ થશે

દૂધમાં થતી મલાઈ ને ઘણીવાર આપણે ખાઈએ છીએ. પરંતુ ઘણા લોકો ને એ વાત નો ખ્યાલ નથી કે મલાઈ ખાવા થી તમને તંદુરસ્તી ની દ્રષ્ટી એ ઘણા ફાયદાઓ થાય છે. આજે અમે તમને મલાઈ ખાવા થી થતા ફાયદા વિશે જણાવીશું
આંખો માટે
મલાઈ ખાવાથી તમારા આંખ ની તંદુરસ્તી સારી રહે છે. આંખો ની રોશની માં વધારો થાય છે. અને તેમાં વિટામિન ઈ હોય છે. જેથી તમને રાત માં પણ જોવામાં તકલીફ નહીં પડે. આંખો નું રેટિના આનાથી સારું રહે છે. મોતીયાં જેવી બીમારી માંથી મલાઈ ખાવાથી બચી શકાય છે.
શારીરિક વિકાસ માટે
શરીર નાં વિકાસ માટે જરૂરી છે બી૧૨ છે. જે મલાઈ માં પુષ્કળ માત્રામાં હોય છે. વિટામીન બી૧૨ પ્રતિરક્ષા પ્રણાલી ને મજબૂત કરે છે. આ ઉપરાંત આંતરડા ની વૃદ્ધિ અને જનન અંગો નાં વિકાસ માં પણ મદદ કરે છે. મલાઈ માં રહેલ બીટ૧૨ તમારા વાળ, નખ અને ચામડી માટે પણ ખૂબ જ જરૂરી છે.
હાડકા માટે
શરીર નાં હાડકા અને દાંત નાં વિકાસ માટે ફાસ્ફોરસ ખૂબ જ જરૂરી છે. મલાઈ માં ફાસ્ફોરસ ની માત્રા હોવાને લીધે શરીર નાં હાડકા અને દાંત મજબૂત બને છે. શરીર માં ખનીજ ની ઉણપ થવાથી હાડકાઓ ને નુકશાન થાય છે, જે મલાઈ ખાવાથી દૂર થાય છે. વિશેષજ્ઞો નાં કહેવા પ્રમાણે હૃદય ની તંદુરસ્તી માટે પણ ફાસ્ફોરસ ખૂબ જરૂરી છે. તેથી મલાઈ ખાવાથી હૃદય ની બીમારી નું જોખમ પણ ઓછું રહે છે.
તણાવ માટે
પૈન્ટોથેનિક એસિડ એટલે કે વિટામિન બી૫ મલાઈ માં મોજુદ હોય છે. આનથી ફક્ત તણાવ નહીં પરંતુ તમારા મસ્તિષ્ક સાથે જોડાયેલી દરેક પરેશાનીઓ ને દૂર કરે છે. અને તમારા મસ્તિષ્ક ને સ્વસ્થ બનાવે છે.
રક્ત કોશિકાઓ માટે
સારા સ્વાસ્થ્ય અને સંપૂર્ણ શરીર નાં વિકાસ માટે લાલ રક્ત કોશિકાઓ ખૂબ જ મહત્વની છે. જેમાં હિમોગ્લોબીન ની માત્રા હોય છે. તેનાથી જ પોષક તત્વ અને ઓક્સિજન રક્ત કોશિકાઓ ને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત લાલ રક્ત કોશિકા નાં નિર્માણ માટે શરીર ને આયર્ન અને ખનીજ ની જરૂર હોય છે. મલાઈ માં આ પોષક તત્વો મોજુદ હોય છે. જેથી મલાઈ નું સેવન કરવાથી શરીર માં લાલ રક્ત કોશિકાઓ માં વધારો થાય છે.
પેટને લગતી સમસ્યા
પેટ માં વધારે પ્રમાણમાં એસીડ બનવાની સમસ્યા હોય તો, રાત નાં બે ચમચી મલાઈ ખાવાથી રાહત મળે છે. આંતરડા ને લગતી બીમારીઓ માં પણ મલાઈ ખાવાથી સારું રહે છે. કારણ કે તેમાં લેકિટક ફર્મેટેશન પ્રોબાયોટિક હોય છે. જે શરીર માં રહેલા ઝેરી તત્વો ને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
વિટામીન એ મલાઈ માં પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેનાં લીધે શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે. એવામાં આપણા શરીર માં કોઈપણ પ્રકાર નું સંક્રમણ થવાની શક્યતા ઓછી રહે છે.
સ્વસ્થ મગજ માટે
મલાઈ અને ડેરી ઉત્પાદનો માં ફાસફોરસ ની માત્રા પુષ્કળ પ્રમાણ માં મોજુદ હોય છે. જેનાં લીધે તમારુ મસ્તિષ્ક સારી રીતે કાર્ય કરી શકે છે. ફાસફોરસ માં પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો મળી રહે છે. અને વિકાસ સારી રીતે થાય છે. ઘણા વિશેષજ્ઞો નાં કહેવા મુજબ અલજાઈમર જેવી મસ્તિષ્ક ને લગતી બીમારીઓ થી પણ બચાવે છે.
મલાઈ ખાવાથી થતું નુકસાન
મલાઈ ખાવાથી શરીર ને ઘણા ફાયદા થાય છે. પરંતુ મલાઈ માં સેચ્યુરેટેડ ફેટ વધારે પ્રમાણમાં હોય છે. વિશેષજ્ઞો જણાવે છે કે સ્ટેચ્યુરેટ ફેટ નું સેવન વધારે કરવાથી શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલ ની શક્યતા રહે છે. વધારે પ્રમાણ માં મલાઈ નું સેવન શરીર નું વજન વધી વધારે છે . મલાઈ ખાવા થી ઘણી વાર પેટ માં ગેસ થવાની શક્યતા રહે છે. ભૂખ ઓછી લાગવી, ગભરામણ થવી એવા માં તમારા ડૉક્ટર નો સંપર્ક કરવો.