ગીતાજી નાં પાઠ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, ત્યારે જ પાઠ કરવાનો થશે પૂર્ણ લાભ

ગીતાજી નાં પાઠ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, ત્યારે જ પાઠ કરવાનો થશે પૂર્ણ લાભ

ઘણા લોકો દરરોજ ભગવદ્ ગીતા નાં પાઠ કરે છે. ભગવત ગીતાનાં પાઠ કરવાથી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે જો તમે કોઇ પરેશાની માંથી પસાર થઈ રહ્યા હોવ તો એકવાર ગીતાજી નાં પાઠ અવશ્ય કરવા ગીતાજી નાં પાઠ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને બધા દુઃખોથી મુક્તિ મળે છે. જોકે ગીતાજી નાં પાઠ નું પૂર્ણ ફળ ત્યારે જ મળશે જ્યારે નીચે જણાવેલ વાતોને ધ્યાન માં રાખીને પાઠ કરવામાં આવે. ચાલો જાણીએ ગીતાજી પાઠ કરવા સાથે જોડાયેલા નિયમો

  • ગીતાજી એક પવિત્ર ગ્રંથ છે તેથી તેને ગંદા હાથથી અડવા જોઈએ નહીં. ગીતાનાં પાઠ કરતા પહેલા હાથ અને પગને બરાબર સાફ કરવા ત્યારબાદ જ પાઠ કરવાના શરૂ કરવા.
  • જો તમે સવારમાં ગીતાના પાઠ કરો છો તો ખાલી પેટ ગીતાજી નાં પાઠ કરવા.
  • ગીતાજી નાં પાઠ શરૂ કરતાં પહેલાં ભગવાન ગણેશ અને શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવું.
  • પાઠ કરતી વખતે એક ઉનનું આસન પાથરવું. અને તેના પર બેસીને જ પાઠ કરવા ધ્યાન રાખો કે, તમે જે આસન પર બેસીને રોજ પાઠ કરો છો તે આસનને બદલવું નહીં
  • ગીતાજી નાં પાઠ શરૂ કરતા પહેલા દીવો અવશ્ય કરવો ત્યારબાદ પાઠ કરવાની શરૂઆત કરવી.
  • ગીતાજી નાં પાઠ શરૂ કર્યા બાદ કોઈ સાથે વાત ન કરવી અને તમારું સંપૂર્ણ ધ્યાન પાઠમાં જ રાખવું.

  • ગીતાજી નાં પ્રત્યેક શ્વલોક નો સાચો અને સ્પષ્ટ ઉચ્ચાર કરવો.
  • ગીતાજી નાં પાઠ કરતી વખતે મનમાં બીજા વિચારો કરવા નહિ.
  • ગીતાજી નાં પાઠ હમેશા વહેલી સવારે જ કરવા પાઠ એકાગ્રતા સાથે તેમજ શાંત મન થી કરવા.
  • ગીતાજી ને ફ્રુટ કે મીઠાઈ નો ભોગ ધરાવો.
  • ગીતાજી નાં પાઠ કરતા પહેલા અને પછી ગીતાજી ને મસ્તક પર લગાવી અને પ્રણામ કરવા અને ત્યારબાદ લાલ રંગના કપડામાં વીંટાળીને રાખવા.
  • ભગવદ ગીતાના પાઠ કર્યા બાદ ગીતાજી ની આરતી કરવી.
  • ગીતાજી નાં ગ્રંથને હંમેશા સાફ જગ્યા પર રાખવું. અને એ વાતનું ધ્યાન રાખવું કે ગીતાજી  પર ધૂળ ના જામે. આ હતા ગીતાજી ના પાઠ કરવા સાથે જોડાયેલ નિયમો જેનું તમારે  અવશ્ય પાલન કરવું જોઈએ.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *