ગણેશ જયંતિ પર બન્યો રવિ નામનો શુભ યોગ, જાણો તમારી રાશિ પર તેની અસર

ગણેશ જયંતિ પર બન્યો રવિ નામનો શુભ યોગ, જાણો તમારી રાશિ પર તેની અસર

હિંદુ પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થી મહા મહિનાની ચોથ ને દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૫ ફેબ્રુઆરી૨૦૨૧ નાં ગણેશ જયંતિ ઉજવવામાં આવશે. આ દિવસ પર ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે, આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી આખું વર્ષ શાંતિપૂર્ણ જાય છે અને ગણેશજી નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મહા મહિનાની સુદ ચોથ ની ગણેશ જયંતિ ને તિલકુંડ ચોથ અને વરદ ચોથ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગણેશ જયંતિ નાં રવિ નામનો શુભ યોગ બની રહ્યો છે. જેનો પ્રભાવ દરેક રાશિ પર જોવા મળશે. જેમાં આ રાશી નાં લોકોને આ યોગ થી થશે લાભ તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને ગણેશ જયંતી પર બનેલ રવિ યોગ નાં કારણે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે. વ્યાપારમાં નવા એગ્રીમેન્ટ બની શકે છે. જે તમારા માટે લાભદાયી સિદ્ધ થશે. તમે તમારી દરેક જવાબદારીઓને સારી રીતે નિભાવી શકશો. સફળતા નાં માર્ગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ વર્ગ નાં લોકો વિદેશ અભ્યાસ કરવા જઈ શકે છે. વાહન ખરીદવા નો વિચાર બનાવી શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે તેમાં સુધારો આવશે. સંતાન પક્ષથી સારા સમાચાર મળવાની સંભાવના છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોને શુભ યોગ નાં કારણે નવા સ્ત્રોતોથી ધન પ્રાપ્તિ નાં  યોગ બની રહ્યા છે. માનસિક ચિંતા દૂર થશે. જીવનસાથી નાં સ્વાસ્થ્ય માં સુધારો આવશે. કાર્યાલય નું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધોમાં તાલમેળ બની રહેશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોને નવા લાભદાયી ઓર્ડર મળી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. પ્રેમ જીવનમાં સુધારો આવશે. તમે કોઈ ધાર્મિક સ્થળ પર યાત્રા એ જવાનું આયોજન કરી શકો છો. આત્મવિશ્વાસ મજબૂત રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકો ઉર્જા મહેસુસ કરશે. ગણેશ જયંતિ પર બની રહેલ યોગ નાં કારણે અગાઉ કરેલા રોકાણ માંથી ભારે માત્રામાં લાભ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્રે તમારા માન સન્માનમાં વધારો થશે. તમારા દરેક કાર્ય સમયસર પૂર્ણ કરી શકશો. કામકાજની પદ્ધતિમાં પરિવર્તન આવી શકે છે જેનાથી તમને લાભ થશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે અને તમે એકબીજાની ભાવનાઓને સારી રીતે સમજી શકશો. પ્રેમ જીવન વ્યતિત કરનાર લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોને ગણેશ જયંતિ પર બનેલ યોગ થી ફાયદો થશે. મિત્રો સાથે બહાર જવાનું આયોજન થશે તે સમય તમે આનંદ થી પસાર કરી શકશો. તમારા દરેક કાર્ય સમયસર પૂર્ણ થઈ શકશે તમે રિલેક્સ મહેસૂસ કરશો. કોઈ મહત્વપૂર્ણ બાબત અંગે નિર્ણય લઈ શકો છો જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. વેપાર માં સુધારો આવશે. કેરિયરમાં આગળ વધવાના અવસરો પ્રાપ્ત થશે. ધનની બાબતમાં તમારી સ્થિતિ સારી રહેશે. રચનાત્મક કાર્યોમાં તમારી રુચિ માં વધારો થશે.

ધન રાશિ

ધન રાશિવાળા લોકોને ગણેશ જયંતિ પર બનેલ રવિ યોગના કારણે પ્રેમ સંબંધોની બાબતમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યની બાબતમાં સુધારો આવશે. જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે જેનાથી તમારું મન આનંદમાં રહેશે. પરિવાર નું વાતાવરણ ખુશહાલ રહેશે. તમારી યોજનાઓ થી આગળ જઈને તમને સારો ફાયદો મળશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં કેન્દ્રિત થઈ શકશે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં જબરજસ્ત સફળતા મળવાની સંભાવના છે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકો નો સમય ખૂબ જ સારો રહેશે. ગણેશ જયંતિ પર બનેલ  યોગનાં કારણે તમારી દરેક યોજનાઓ પૂર્ણ થશે. કામકાજમાં તમારું મન લાગી રહેશે. તમારી મહેનતથી દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકશે. સામાજિક ક્ષેત્રે માન સમ્માન માં વધારો થશે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકશો. સંતાન તરફથી સુખની પ્રાપ્તિ થશે. ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. માતા-પિતા નું સ્વાસ્થ્ય સારું રહેશે. ભાઈ-બહેનો સાથે ચાલી રહેલ મતભેદ દૂર થશે.

કુંભ રાશિ

કુંભ રાશિ નાં બેરોજગાર લોકોને કોઈને સારી કંપનીમાં જોબ મળી શકશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. તમારા માતા અને બાળકો સાથે સારો સમય પસાર કરી શકશો. પરિવાર નાં સંબંધો મજબૂત બની રહેશે. વિદ્યાર્થીઓ નું મન અભ્યાસમાં કેન્દ્રિત થશે. ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલા લોકોને સારો ફાયદો થઈ શકે છે. તમારી મહેનત રંગ લાવશે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *