હિન્દૂ દેવતાઓ ને સમર્પિત છે આ એરપોર્ટ, પરંતુ ભારતમાં નહીં આ દેશમાં છે

હિન્દૂ દેવતાઓ ને સમર્પિત છે આ એરપોર્ટ, પરંતુ ભારતમાં નહીં આ દેશમાં છે

આજે અમે તમને એક એવા એરપોર્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સંપૂર્ણ રીતે હિન્દુ દેવી-દેવતાઓ ને સમર્પિત છે. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારત માં નહિ પરંતુ થાઇલેંડ છે. આં એર પોર્ટ જોઇને તમને એવું લાગશે કે, તમે ભારત નાં કોઈ મંદિરમાં આવી ગયા છો. આ એરપોર્ટ પર તમને ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળશે. થાઈલેન્ડ ની રાજધાની બૈકોંક માં સ્થિત એશિયા નું સૌથી મોટું એરપોર્ટ છે. અને આ એરપોર્ટનું નામ સુવર્ણ ભૂમિ એરપોર્ટ છે.

આ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમને અમૃત મંથન સાથે જોડાયેલી ફોટો જોવા મળશે. અને એક વિશાળ પ્રતિમા આ જગ્યા પર લગાવવામાં આવી છે જે અમૃત મંથન સાથે જોડાયેલી છે. આ પ્રતિમા માં સમુદ્રમંથન કરતા મંથન કરતા દેવો અને દાનવો  જોવા મળશે. આ પ્રતિમા ખાસ થાઈ શૈલી માં બનાવવામાં આવી છે. તેમાં નાગ ઉપર ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. આ એરપોર્ટ પર વિષ્ણુજી નાં વાહક ગરુડજી ની પણ મોટી પ્રતિમા બનાવવામાં આવી છે.

થાઈલેન્ડ નાં પૂર્વ રાજા ભૂમિ બોલ એ આ એરપોર્ટ ભગવાન વિષ્ણુજી ને સમર્પિત કર્યું  હતું અને તેને સુવર્ણ ભૂમિ નામ આપ્યુ હતું. તેથી આ એરપોર્ટ પર ભગવાન વિષ્ણુની ઘણી ફોટો અને મૂર્તિઓ જોવા મળશે. જોકે થાઈલેન્ડમાં એક સમયે હિંદુ ધર્મ પ્રચલિત હતો અને આજે પણ ત્યાં સંસ્કૃત બોલવામાં આવે છે. જો કે બૌદ્ધ ધર્મ આજે આ દેશમાં ખૂબ જ પ્રચલિત થઈ ચૂક્યો છે. પરંતુ અહીંયા પર હિન્દુ ધર્મની છાપ પણ જોવા મળે છે. આ દેશમાં ઘણા મંદિરો પણ છે. તમને જણાવી દઈએ કે, એક સમયમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, માલદીવ, કંબોડીયા અને થાઈલેન્ડમાં હિંદુ ધર્મ અને સંસ્કૃતિ ખૂબ જ ફેલાયેલા હતા.

પરંતુ ધીરેધીરે આ દેશોમાં હિંદુ ધર્મ ખતમ થવા લાગ્યો. અને તેની જગ્યાએ બૌદ્ધ અને મુસ્લિમ ધર્મ પ્રસિદ્ધ થઈ ગયા છે. પરંતુ આજે પણ આ દેશમાં તમને હિન્દુ મંદિર અને સંસ્કૃતિની ઝલક જોવા મળશે અને આજ કારણ છે કે, આ દેશનાં એરપોર્ટ પર ભગવાનની મૂર્તિ લગાવવામાં આવી છે. આ રીતે ઇન્ડોનેશિયામાં પણ એક એરપોર્ટ કે જ્યાં ભગવાન વિષ્ણુની વિશાળ પ્રતિમા લગાવવામાં આવી છે. આ એરપોર્ટ ઇન્ડોનેશિયા ની રાજધાની બાલી માં છે.

હવે ભારતમાં પણ જલ્દીજ એવું એરપોર્ટ બનવાનું છે. જે અયોધ્યામાં થશે. એરપોર્ટ નું નામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ હશે. આ એરપોર્ટ પર તમને ભગવાન રામ નાં  જીવનની ઝલક જોવા મળશે. જો કે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે  પોતાના બજેટ ની ઘોષણા કરતી વખતે કહ્યું હતું કે, અયોધ્યામાં બનાવવામાં આવેલ એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ નાં નામ પરથી હશે સાથે જ આપણા દેશનું પહેલું એરપોર્ટ હશે. જે હિન્દુ ભગવાનનું નામ પર હશે. આજ સુધી ભારતમાં કોઈ એરપોર્ટ નથી જે ભગવાન નાં નામ પરથી હોય. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામ નાં નામ પરથી બનાવવામાં આવેલ આ એરપોર્ટ નું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આ એરપોર્ટ પર તમને ભગવાન રામની મૂર્તિ જોવા મળશે. આશા છે કે, આ એરપોર્ટ થોડા જ વર્ષોમાં બનીને તૈયાર થઇ જશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *