હથેળીમાં ક્યાં હોય છે ધનની રેખા, કેવી રીતે બને છે ધન યોગ, જાણો શું કહે છે હસ્તરેખા વિજ્ઞાન

હથેળીમાં ક્યાં હોય છે ધનની રેખા, કેવી રીતે બને છે ધન યોગ, જાણો શું કહે છે હસ્તરેખા વિજ્ઞાન

હસ્તરેખા વિજ્ઞાન અનુસાર આપણી હથેળીમાં મોજુદ રેખાઓ આપણા જીવનની દિશાઓ નક્કી કરે છે. આ આડી અવડી રેખાઓથી નક્કી થાય છે કે, તમારા જીવનમાં ધન યોગ છે કે નહિ. આ વિષે માહિતી મેળવવા માટે ઘણા લોકો હંમેશાં જ્યોતિષ પાસે જાય છે જે મોંઘું પડે છે અને સમય પણ લાગે છે તેથી તેને બચાવવા માટે આજે અમે તમને આ લેખ દ્વારા હથેળીમાં ધન ની રેખા ક્યાં હોય છે તે જણાવવા જઈ રહ્યા છીએ.

હથેળી પર હોય ત્રાજવા નું નિશાન

 

હસ્તરેખા નાં જાણકારો જણાવે છે કે, જેની હથેળી પર રેખાઓ દ્વારા ત્રાજવા નું નિશાન બનેલું હોય છે તેને ધનની કમી રહેતી નથી તેઓના જીવનમાં ધન યોગ હંમેશા બની રહે છે.

મધ્ય અને નાની આંગળી પાસે રીંગ નું ચિન્હ

 

જો કોઈની હથેળીમાં શનિ પર્વત એટલે કે, મધ્ય આંગળી અને બુધ પર્વત એટલે કે નાની આંગળી ની પાસે એક રીંગ બનેલ હોય અને તે એક રેખા સાથે જોડાયેલ હોય તો જીવનમાં લક્ષ્મી યોગ બને છે. આ પ્રકાર નું ચિન્હ લોકો ધનવાન હોય છે.

ભાગ્યરેખા નું સૂર્ય પર્વત પર હોવું

તમારી હથેળીમાં ભાગ્યરેખા સાફ અને સ્પષ્ટ હોય અને તેનો આકાર સૂર્ય પર્વત જેવો હોય તો ધનનો યોગ બને છે. આજે પ્રકાર નું ચિન્હ વાળા વ્યક્તિઓનાં જીવનમાં નાનપણથી  જ ધનયોગ રહે છે અને તેઓ ધનવાન જીવન વ્યતીત કરે છે.

અચાનક ધનલાભ માટે નું ચિન્હ

 

 

જો કોઇ વ્યક્તિની બંને હથેળીઓની ભાગ્ય રેખા મણિબંધથી શરૂ થઈ સીધી રેખામાં શનિ પર્વત સુધી હોય સાથે જ સૂર્ય રેખા પણ પાતળી, લાંબી અને શુભ હોય મસીત્ષ્ક રેખા,આયુ રેખા  પણ બરાબર હોય તો તેવાં વ્યક્તિઓના જીવનમાં ગજલક્ષ્મી યોગ બને છે. આ પ્રકાર નો યોગ બનવાથી વ્યક્તિને અચાનક થી ધન પ્રાપ્તિ થાય છે.

ભાગ્યરેખા અને ચંદ્ર રેખા બનાવે છે ધન યોગ

કોઈ વ્યક્તિની હથેળીમાં ભાગ્યરેખા અને ચંદ્ર રેખા એકસાથે મળીને  શનિ પર્વત પર પહોંચે એવા વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે હથેળીમાં અંગૂઠાની નીચે શુક્ર પર્વત હોય છે અને શુક્ર પર્વત ની બીજી તરફ હથેળી નાં અંતિમ ભાગ પર ચંદ્ર પર્વત હોય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *