જાણો એક તંદુરસ્ત વ્યક્તિ એ દિવસ માં કેટલી રોટલી ખાવી જોઈએ, વજન ઓછું કરવા માં કરશે મદદ

જ્યારે પણ તમે ઘરે ભોજન કરો છો, તો તમારી માં તમને ૧-૨ રોટલી વધારે આપે છે.આવું એટલા માટે કરે છે કારણ કે ભારતીય ભોજન રોટલી વગર અધુરૂં માનવામાં આવે છે અને આ રોટલીમાં ખૂબ જ તાકાત હોય છે. રોટલીમાં સ્વાદ એટલો સારો હોય છે કે શાક કંઈ પણ બનેલું હોય રોટલી ખાવી જરૂરી છે. નાના બાળકોજો શાક સાથે રોટલી નથી ખાતા તો તેમને દૂધ-રોટલી, દહીં-રોટલી અથવા ખાંડ-રોટલીનાં રૂપમાં રોટલી પીરસવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની ભૂખ અને ક્ષમતાનાં હિસાબે રોટલી ખાવાનું પસંદ કરે છે. અમુક લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં સૌથી પહેલા રોટલી ઓછી કરી દેતા હોય છે. તેમાં તમારે જાણવું જરૂરી છે કે જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારે કેટલી રોટલી ખાવી જોઈએ.
કેટલી રોટલી ખાવી જોઈએ
લગભગ દરેક ભારતીય ઘરમાં ઘઉંના લોટની રોટલી બનાવવામાં આવે છે. તેમાં મોટી માત્રામાં મૈક્રો-ન્યુટ્રીએંટ હોય છે. સાથોસાથ તેમાં પ્રોટીન અને ફાઇબર પણ ખૂબ જ સારી માત્રામાં હોય છે. તેમાં જ્યારે તમે રોટલીનું સેવન કરો છો, તો તેનું પાચન યોગ્ય રીતે થાય છે. જો તમે ૬ ઈંચની એક રોટલીનુ સેવન કરો છો, તમારા શરીરમાં અંદાજે ૧૫ ગ્રામ કાર્બ્સ, ૩ ગ્રામ પ્રોટીન અને ૦.૪ ફાઇબર મળે છે.
શરીરનું વજન ઓછું કરવા માટે જાણવું જરૂરી છે કે તમારા શરીરમાં કેટલા કાર્બ્સની જરૂરિયાત છે. તેવામાં તે હિસાબથી રોટલી ખાવી જોઈએ. જો તમે દૂધ, સોડા, ખાંડ અથવા તેલનું સેવન કરો છો તો તમારા શરીરમાં કાર્બ્સની માત્રા વધી જાય છે. તેવામાં રોટલી દ્વારા શરીરમાં ઓછું કાર્બ્સ ઉમેરવું જોઇએ. જો તમે આ બધી ચીજો વધારે સેવન કરો છો તો રોટલીનું સેવન ઓછું કરવું જોઈએ.
ક્યા સમયે કેટલી રોટલી ખાવાથી મળશે ફાયદો
વજન ઓછું કરવા માટે કેટલી રોટલી ખાવી જોઈએ તે જાણવું જરૂરી છે. મહત્વપૂર્ણ છે કે રોટલીની માત્રા પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ હોય છે. જો તમે મહિલા છો તો તમારો ડાયટ પ્લાન દિવસમાં ૧૪૦૦ કેલેરી લેવાનો છે, તો તમારે બે રોટલી દિવસમાં અને બે રોટલી રાત્રે ખાવી જોઈએ. વળી જો તમે પુરુષ છો તો તમારો ડાયટ પ્લાન ૧૭૦૦ કેલરીનો છે, તો તમારે દિવસ અને રાત્રે બે સમયે ૩-૩ રોટલી ખાઈ શકો છો.
વજન ઓછું કરવા માટે ફક્ત રોટલીની ગણતરી જરૂરી નથી. તમારે ધ્યાન રાખવાનું પણ જરૂરી છે કે કયા સમયે કેટલી રોટલી ખાવી જોઈએ. હેલ્થ એક્સપર્ટનું માનવામાં આવે તો રાતની તુલનામાં દિવસમાં રોટલી ખાવી વધારે સારી રહે છે. હકીકતમાં રોટલીમાં ફાઇબર હોય છે, જે પચવાની પ્રોસેસને ધીમી બનાવે છે. જ્યારે તમે દિવસના સમયે તેનું સેવન કરો છો, તો સાથોસાથ મહેનત પણ કરો છો અને કામ કરતા રહો છો. તેવામાં રોટલી તમારા શરીરને વધારે લાગતી નથી અને તમને એનર્જી આપે છે.
બીજી તરફ જ્યારે તમે રોટલીનું સેવન રાતે કરો છો અને સુઈ જાઓ છો તો તેના પાચનની ક્રિયા ચાલુ રહે છે, તે શરીર માટે યોગ્ય માનવામાં આવતું નથી. તેવામાં રાતનાં સમયે રોટલી ખાવી યોગ્ય નથી. જોકે રોટલીનું સેવન ચોખા કરતાં વધારે સારું માનવામાં આવે છે. રોટલીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે, જેનાથી પેટ વધારે સમય સુધી ભરાયેલું રહે છે. સાથોસાથ તે બ્લડ શુગર લેવલને પણ ધીરે ધીરે પ્રભાવિત કરે છે. બીજી તરફ ચોખામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે જલ્દી પહોંચી જતા હોય છે. તે તમારા બ્લડ શુગર લેવલને ઝડપથી ઇફેક્ટ કરે છે. તેવામાં રોટલીનું સેવન વધારે સારું રહે છે.