જયા એકાદશી પર બન્યો દુર્લભ યોગ, આ રાશિના જાતકોને મળશે શુભફળ

જયા એકાદશી પર બન્યો દુર્લભ યોગ, આ રાશિના જાતકોને મળશે શુભફળ

તમને જણાવી દઈએ કે, મહા મહિના ની શુક્લ પક્ષની એકાદશી નાં દિવસે જયા એકાદશી વ્રત કરવાનું વિધાન છે. આ વખતે જયા એકાદશી ૨૩ ફેબ્રુઆરી નાં હતી. જાણકારો અનુસાર એકાદશી દરમિયાન કરવામાં આવેલ કાર્યોનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.  જ્યોતિષ અનુસાર એકાદશી નાં દિવસે મંગળવાર નાં દિવસે પુનર્વસુ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. જેનાં કારણે ત્રિપુષ્કર યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યોતિષ અનુસાર એકાદશી પર બની રહેલ દુર્લભ યોગ થી આ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. અને દરેક પરેશાનીમાંથી છુટકારો મળશે. ચાલો જાણીએ તે રાશિના જાતકો વિશે.

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોને યોગ નાં કારણે કામકાજની યોજનાઓ પૂર્ણ થશે. જ્યા એકાદશી પર બની રહેલ યોગને કારણે ધન સાથે જોડાયેલ બાબત માં ફાયદો થશે. નોકરી નાં ક્ષેત્રમાં તમારા પ્રભાવમાં વધારો થશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગી રહેશે. પ્રેમ જીવન વ્યતિત કરનાર લોકોને પાર્ટનરની સાથે કંઈ બહાર ફરવા જવાનું આયોજન થઇ શકે છે. ભાઈ સાથે ચાલી રહેલ મતભેદ  દૂર થશે. ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપશે. પ્રોપર્ટી સંબંધી ફાયદો થવાના યોગ બની રહ્યા છે. વ્યાપાર માં ફાયદો મળવાના યોગ બની રહ્યા છે. વેપારની કાર્ય પધ્ધતિમાં પરિવર્તન આવી શકે છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા સારા વ્યવહારથી આસપાસ નાં લોકો તમારાથી પ્રભાવિત થશે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા પર આ યોગ નો સારો પ્રભાવ જોવા મળશે. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. જેનાથી તમારું મન આનંદ રહેશે. કોઇ મોટો ધનલાભ થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સંબંધોમાં મીઠાશ રહેશે. પ્રેમ જીવનમાં ચાલી રહેલ મતભેદ દૂર થશે. મિત્રો સાથે મળીને કોઈ નવું કાર્ય કરવાની કોશિશ કરશો. તમારા કેરિયર નાં ક્ષેત્રમાં પ્રગતિ મળવાના યોગ બની રહ્યા છે. અનુભવી લોકો સાથે મુલાકાત થશે જેનો આગળ ચાલીને તમને ફાયદો થશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોનું ભાગ્ય દરેક ક્ષેત્રમાં તેને સારો ફાયદો અપાવશે. આ યોગનાં કારણે નોકરીમાં પ્રગતિ મળવાની સંભાવના છે. વિવાહિત લોકોનું જીવન ખુશીઓથી ભરપૂર રહેશે. કોઈ નાના મહેમાન નાં આવવાની સંભાવના છે. જેનાથી તમે ખૂબ જ ખુશ થશો. તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. તમારા રોકાયેલા દરેક કાર્ય પૂર્ણ કરી શકશો. ઘરેલુ સુખ સુવિધામાં વધારો થશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો તમારા કામની પ્રશંસા કરશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકો પર જ્યા એકાદશી પર બની રહેલ યોગ નો સકારાત્મક પ્રભાવ જોવા મળશે. તમારા મહેનત નાં આધારે સારો ધનલાભ પ્રાપ્ત કરી શકશો. મિત્રો સાથે બહાર પિકનિક પર જવાનું આયોજન થઇ શકે છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. મહત્વપૂર્ણ બાબતોમાં નિર્ણય લેવામાં સક્ષમ રહેશે. ઘર-પરિવારની પરેશાની દૂર થશે. તમારી દરેક પ્રકારની જવાબદારીઓ સારી રીતે પૂર્ણ કરી શકશો. આવકમાં જબરજસ્ત વધારો થશે. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરીયાત લોકોને ઉપરી અધિકારીનો પૂરો સહયોગ મળી રહેશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. તમારા દરેક કાર્ય સમયસર પૂર્ણ થશે. મિત્રો સાથે ચાલી રહેલ મતભેદ દૂર થશે. પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે. જીવનસાથી ની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પ્રેમ જીવનમાં સુધાર આવશે. ખૂબ જ જલ્દી તમારા પ્રેમ વિવાહ નાં યોગ બની રહ્યા છે. કોઈ મોટી સમસ્યાથી છુટકારો મળશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોનું મન અભ્યાસમાં કેન્દ્રિત થઈ શકશે. ધન માં વધારો થશે. કેરિયરમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. લાભ પ્રાપ્તિ નાં ઘણા અવસર પ્રાપ્ત થશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *