જો ઘરની મહિલાઓ રાત્રે સૂતા પહેલાં કરે આ કામ, માં લક્ષ્મી ની કૃપા થી થશે ધનની વર્ષા

જો ઘરની મહિલાઓ રાત્રે સૂતા પહેલાં કરે આ કામ, માં લક્ષ્મી ની કૃપા થી થશે ધનની વર્ષા

મહિલાઓં ને માં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ભારતીય સભ્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે, ઘરની સ્ત્રી ઘર ની લક્ષ્મી કહેવાય છે. જો ઘરની મહિલાઓ ખુશ રહેશે તો ઘર પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે પરંતુ જે ઘર માં મહિલાઓને કષ્ટ થશે તે ઘર થી માં લક્ષ્મી નારાજ થશે માટે ઘરની મહિલાઓને હમેશા ખુશ રાખવાનાં પ્રયત્ન કરવા.જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે મહિલાઓ દ્વારા જો આ ઉપાય કરવામાં આવે તો ધન સાથે સંબંધિત પરેશાનીઓથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે, જો ઘરની મહિલાઓ આ કાર્ય કરે તો માતા લક્ષ્મીજી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે.

આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવી રહ્યા છીએ જો મહિલાઓ રાત નાં સમયે સુતા પહેલા કરે છે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે એટલું જ નહીં પરંતુ ઘરમાંથી દરિદ્રતાનો નાશ થાય છે આ ઉપાયો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

પૂજા નાં સ્થાન પર કરવો દીવો

શાસ્ત્રો માં એવું કહેવામાં આવે છે કે, રાતનાં સમયે ઘરની મહિલાઓ એ ઘરનાં મંદિરમાં દીવો જરૂર કરવો જોઈએ એવી માન્યતા છે કે, જે ઘરની સ્ત્રીઓ રોજ નિયમિત રૂપથી દીવો કરે છે. તેનાં ઘરમાં મહાલક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે. માં લક્ષ્મીની કૃપાથી એ ઘરમાં ધનની કમી રહેતી નથી પરિવાર નાં દરેક લોકો પર માતા લક્ષ્મીજી નાં આશીર્વાદ રહે છે.

ઘરમાં દક્ષિણ અને પશ્ચિમ ખૂણામાં કરવો દીવો

શાસ્ત્રો અનુસાર જે સ્ત્રીઓં રાત નાં સમયે સુતા પહેલા ઘર નાં દક્ષિણ અને પશ્ચિમ ખૂણામાં દીવો કરે છે તો તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. અને ઘર નાં આ ખૂણામાં એક નાનો એવો લેમ્પ પણ લગાવી શકો છો જેને રોજ કરીને રોશની કરી શકાય છે. આ ઉપાય કરવાથી પિતૃઓ નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

માતા-પિતા અને વડીલોનું ધ્યાન રાખવું

 

શાસ્ત્રોમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે ઘરની અંદર માતા-પિતા અને વડીલો નું ધ્યાન રાખવામાં આવે તે ઘર ઉપર હંમેશા ભગવાન કૃપા દૃષ્ટિ કરશે ઘરની મહિલાઓએ રાતના સૂતા પહેલા એ જરૂર જોવું કે ઘરનાં વડીલો જેમ કે માતા-પિતા આરામથી સુઈ ગયા છે કે નહીં જયારે ઘરનાં વડીલો અને માતા-પિતા આરામથી સુઈ જાય ત્યારે જ તમારે જઇને સુવું.

કપૂર કરવું

 

ઘરની સ્ત્રીઓએ રોજ રાતનાં શયનખંડ અને આખા ઘરમાં કપૂર કરવું તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. એટલું જ નહીં જો ઘરની મહિલાઓ શયન ખંડ માં કપૂર કરે છે તો પતિ પત્ની વચ્ચે વાદવિવાદ દૂર થાય છે. અને તેનાં સંબંધો સારા રહે છે. કપૂર કરવાથી પરિવાર સાથે નાં સંબંધોમાં પણ મધુરતા રહે છે. તણાવ દૂર થાય છે. અને અંદરો અંદર નાં મતભેદો દૂર થાય છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *