કેતુ નાં નક્ષત્ર પરિવર્તન થી આ ૪ રાશિના લોકો ને થશે ભારે નુકસાન, જાણો તમારી રાશિ વિશે

કેતુ નાં નક્ષત્ર પરિવર્તન થી આ ૪ રાશિના લોકો ને થશે ભારે નુકસાન, જાણો તમારી રાશિ વિશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેતુને પાપી ગ્રહ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે. કેતુ નાં અશુભ પ્રભાવથી વ્યક્તિ નાં જીવનમાં ખૂબ જ પરેશાની ઉત્પન્ન થવા લાગે છે પરંતુ એવું નથી કે કેતુ હંમેશા અશુભ ફળ જ આપે. કેતુની શુભ અશુભ સ્થિતિ અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. જો કેતુ દેવગુરુ બૃહસ્પતિની સાથે યુતિ બનાવતો હોય તો તેનાં કારણે જાતકને રાજ યોગનું નિર્માણ થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુની સ્થિતિ મજબૂત હોય તેના કારણે જીવનમાં શુભ પરિણામ મળે છે પરંતુ કેતુ ની અશુભ સ્થિતિ નાં કારણે જીવનમાં ખૂબ જ પરેશાની આવવા લાગે છે. શરીર દુર્બળ થઈ જાય છે વ્યક્તિને પગ માં દુખાવાની ફરિયાદ બની રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્તમાન સમયમાં કેતુ વૃશ્ચિક રાશિમાં છે આ વર્ષ તે આ રાશિમાં જ બિરાજમાન રહેશે. પરંતુ જૂન મહિનામાં કેતુ પોતાના નક્ષત્રમાં પરિવર્તન કરશે તેનો દરેક રાશિઓ પર પ્રભાવ જોવા મળશે. ચાલો જાણીએ કેતુ નક્ષત્ર પરિવર્તન નો દરેક રાશિ પર કેવો પ્રભાવ પડશે.

કેતુ નક્ષત્ર પરિવર્તનથી આ રાશિઓને થશે લાભ

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોને કેતુ નક્ષત્ર પરિવર્તન શુભ સાબિત થશે. પ્રેમ જીવન વ્યતિત કરનાર લોકોને સારા પરિણામ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે સારી સફળતા પ્રાપ્ત થશે. અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે તેથી સામાજિક સ્તર પર માન-સન્માનમાં વૃદ્ધિ થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે સ્વાસ્થ સંબંધી પરેશાનીઓ દૂર થશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોને કેતુ નું પરિવર્તન સારું સાબિત થશે. કાર્યક્ષેત્રમાં સાથે કામ કરનારા લોકોનો ભરપૂર સહયોગ મળશે જેના કારણે તમે સફળતા નાં શિખરો સર કરી શકશો. સામાજિક ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થશે. નવા લોકો વચ્ચે તમે તમારી ખાસ ઓળખ બનાવી શકશો. આર્થિક લાભ મળવાની સંભાવના છે. તમારા વિરોધીઓને તમે પરાજિત કરી શકશો. કામકાજમાં સારા પરિણામો પ્રાપ્ત થશે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોને કેતુ નક્ષત્ર પરિવર્તનને કારણે ભાગ્યનો પૂરો  સાથ મળશે. આવકમાં વધારો થશે. તમારી બુદ્ધિ અને મહેનત થી તમારા વિરોધીઓ ને પરાજિત કરવામાં સફળ રહેશો. કોઈ જુનો ચાલી રહેલ વાદવિવાદ પૂર્ણ થશે. ધન લાભ  નાં યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરિવાર નું વાતાવરણ સકારાત્મક રહેશે.

આ રાશિઓના જાતકો ને થશે નુકસાન

કર્ક રાશિ

 

કર્ક રાશિવાળા લોકોને કેતુ નક્ષત્ર પરિવર્તનથી સંતાન તરફથી કષ્ટનો સામનો કરવો પડશે. કામકાજમાં સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે. ભાગ્ય કરતાં વધારે તમારે મહેનત પર વિશ્વાસ રાખવાની જરૂર છે. વિરોધિઓ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીનો સામનો કરવો પડશે.

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા લોકોના માટે સમય પડકાર જનક રહેશે. માતા નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. કેતુ નક્ષત્ર પરિવર્તન ને કારણે સુખો માં કમી આવવાની સંભાવના છે. તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવી શકો છો. દાંપત્યજીવનમાં પરેશાની ઉત્પન્ન થશે. નોકરીના ક્ષેત્રમાં ઉતાર ચડાવ રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોને કેતુ નક્ષત્ર પરિવર્તન નાં કારણે પરેશાનીનો સામનો કરવો પડશે. તમારા વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે માટે સચેત રહેવું. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. વિપરીત પરિસ્થિતિમાં તમારી બુદ્ધિ થી કામ લેવું. પરિવારમાં વાતાવરણ સારું રહેશે. ધન કમાવવાની નવી યોજનાઓમાં સફળતા મેળવશો.

આ રાશિઓં નાં જાતકો ને મિશ્રિત ફળ પ્રાપ્ત થશે

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોને કેતુ નક્ષત્ર પરિવર્તનને કારણે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. કોર્ટ-કચેરીની બાબત નો સામનો કરવો પડશે પરંતુ તેનો નિર્ણય જલદી તમારા પક્ષમાં આવી શકશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે  ખૂબ જ મહેનત કરવી પડશે.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. પ્રોપર્ટી સંબંધી બાબતમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. સંતાન તરફથી લાભ મળવાની સંભાવના છે સારા સમાચાર મળી શકશે. કામકાજ માં તમારે વધારે મહેનત કરવી પડશે ત્યારબાદ તમને સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

વુશ્ચિક રાશિ વાળા લોકો ને કેતુ નક્ષત્ર પરિવર્તન નાં કારણે મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે. તમારી વાણી પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ વધી શકે છે. આર્થિક  સ્થિતિ કમજોર રહેશે તેથી આવક નાં પ્રમાણમાં ખર્ચાઓ પર કંટ્રોલ રાખવો. નોકરીયાત લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ખૂબ જ મહેનત બાદ કાર્યોમાં તમને સફળતા પ્રાપ્ત થશે.

ધન રાશિ

ધન રાશિવાળા લોકોના બિનજરૂરી ખર્ચાઓ માં વધારો થશે. દાંપત્ય જીવનમાં કોઈ વાતને લઈને પરેશાની વધી શકે છે. વેપાર માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો સમય  યોગ્ય સાબિત થશે પરંતુ વેપારમાં લાભ ઓછો થશે. કામકાજની બાબતમાં કોઈ યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોને મધ્યમ ફળની પ્રાપ્તિ થશે. આવક સારી રહેશે પરંતુ ખર્ચાઓમાં વધારો થશે. પિતાનાં સ્વાસ્થ્યને લઈને પરેશાની થશે. જો કોઈ નવો વેપાર શરૂ કરવા ઈચ્છતા હોવ તો ઘરનાં અનુભવી લોકોની સલાહ જરૂર લેવી. જીવનસાથી સાથે બહાર ફરવા જવાનું આયોજન થઇ શકે છે. તમારા માન-સન્માનમાં કમી આવી શકે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *