લગ્ન થવામાં વિલંબ થતો હોયતો, આ શિવરાત્રી નાં દિવસે કરો આ ઉપાયો

મહાશિવરાત્રી હિન્દુઓ નો સૌથી મોટો મહાપર્વ પણ ગણવામાં આવે છે. આ વર્ષે શિવરાત્રિ નો પર્વ પંચાંગ મુજબ ૧૧ માર્ચ નાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી નાં દિવસ નાં વ્રતનું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. તે કરવાથી ખૂબ જ ફાયદો થાય છે સાથે જ આ દિવસે ભગવાન શિવજીની વિશેષ પૂજા કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.આ દિવસે ભગવાન શિવજીને પ્રસન્ન કરવાથી જીવનમાં આવનારી દરેક પરેશાનીઓને દૂર થાય છે. શાસ્ત્રો અનુસાર અને પુરાણો માં શિવરાત્રીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
પંચાંગ અનુસાર મહાશિવરાત્રી
પંચાગ અનુસાર જોઈએ તો ૧૧ માર્ચ ગુરુવાર નાં દિવસે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. આ વખતે માં મહિનાની તેરસ ની તિથી નાં આ પર્વ આવી રહ્યો છે. પૌરાણિક કથા અનુસાર શિવરાત્રી નાં દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતી નાં વિવાહ થયા હતા. તેથી આ દિવસ ને મહાશિવરાત્રી નાં દિવસ નામથી ઓળખવામાં આવે છે. તેની સાથે જે લોકોનાં વિવાહ માં કોઈપણ પ્રકારની પરેશાની આવી રહી હોય અથવા તેનાં વિવાહ થઈ રહ્યાં ન હોયતો મહાશિવરાત્રી નો તહેવાર વિશેષ ફળદાયી ગણવામાં આવે છે. આ દિવસે શિવજીની આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
કન્યા ને મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે
મહાશિવરાત્રી નાં દિવસે સાચા મનથી શિવજીની આરાધના અને વ્રત રાખવાથી મનપસંદ વર ની પ્રાપ્તિ થાય છે. જો કુંવારી કન્યા મહાશિવરાત્રી નાં દિવસે સાચા મનથી શિવજીની આરાધના કરે છે તેથી કુંવારી કન્યા ને મન પસંદ વર ની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે, મહાશિવરાત્રી નું વ્રત રાખવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને મનપસંદ વર આપેછે.
ભગવાન શિવજીને આ રીતે કરો પ્રસન્ન
મહાશિવરાત્રી પર મનોકામના પૂર્ણ કરવા માટે અને મનપસંદ વર ની પ્રાપ્તિ કરવા ઈચ્છતી કન્યાઓએ ભગવાન શિવજીને શણગાર જરૂર કરવો જોઈએ.આ દિવસે શિવજીને ફૂલ અને તેમની મનપસંદ વસ્તુઓ નો શણગાર કરવો જોઈએ. એવું કરવાથી ભગવાન શિવજી નાં વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શિવરાત્રી નાં દિવસે ભગવાન શિવજી નો અભિષેક કરવાથી તે ખુશ થાય છે. ભગવાન શિવજીનો આ દિવસે દૂધ, દહીં, મધ અને સાકર દ્વારા અભિષેક કરવો જોઈએ. આ દિવસે ભગવાન શિવજી ને પાંચ બીલી પત્ર ચડાવવાથી લાભ થાય છે.