માં સરસ્વતીની કૃપાથી આ ત્રણ લોકો બન્યા વિદવાન, કરી હતી આ પ્રસિદ્ધ ગ્રંથોની રચના

વસંતપંચમીનો દિવસ દેવી સરસ્વતી નાં જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી ૧૬ ફેબ્રુઆરી નાં આવી રહી છે પૌરાણિક કથા અનુસાર આ દિવસે માં સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં જે લોકો આ દિવસે સાચા મનથી માં ની પૂજા કરે છે તેની બુદ્ધિ તેજ થાય છે. કહેવામાં આવે છે કાળીદાસ, વરદરાજ વોપદેવ એ દેવી સરસ્વતીની પૂજા કરી હતી જેનાં કારણે તેમને વિદ્યાની પ્રાપ્તિ થઈ હતી. બાળપણમાં કાળીદાસ વરદરાજ અને વોપદેવ અલ્પબુદ્ધિ નાં હતા પરંતુ માં ની પૂજા કરવાથી તેઓની બુદ્ધિ ખૂબ જ તેજ થઇ ગઇ અને તેઓએ મહાન ગ્રંથોની રચના કરી.
કાળીદાસ
કાળીદાસ આપણા દેશ નાં જાણીતા કવિઓમાંના એક છે. તેઓએ ઘણી સારી રચના કરી છે પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, કાલિદાસ અભ્યાસમાં તેજ ન હતા તેમ છતાં પણ તેમને આપણા દેશ નાં પ્રસિદ્ધ કવિ અને લેખક માનવામાં આવે છે. તેમણે માં સરસ્વતીની પૂજા અર્ચના સાચા મનથી કરી હતી જેનાં કારણે માં ની કૃપા તેના પર બની હતી. અભિજ્ઞાનશાકુંતલમ તેમની સૌથી પ્રસિદ્ધ રચના છે. મેધદુત પણ કાળીદાસની સર્વશ્રેષ્ઠ રચના ગણવામાં આવે છે તેમાં કવિની કલ્પના શક્તિ અને વિલક્ષણતા જોવા મળે છે.
વરદરાજ
વરદરાજ ને વરદરાજાચાર્ય નામથી ઓળખવામાં આવે છે. તે સંસ્કૃત વ્યાકરણ નાં મહાપંડિત હતા તે મહાપંડિત ભટોજી દીક્ષીત નાં શિષ્ય હતા અને તેમણે ભટોજી દીક્ષીત નાં સિદ્ધાંત કૌમુદી પર આધારિત ત્રણ ગ્રંથોની રચના કરી છે જે મધ્ય સિદ્ધાંત કૌમુદી, લધુ સિદ્ધાંતને કૌમુદી અને તેમાં સાર કૌમુદી છે. તે માં સરસ્વતી નાં સૌથી મોટા ભક્ત ગણવામાં આવતા અને માંની કૃપાથી તેમણે આ ત્રણ ગ્રંથોની રચના કરી હતી.
વોપદેવ
વોપદેવ કવિ, વૈદ્ય અને વ્યાકરણ ગ્રંથ કાર તરીકે જાણીતા હતા. તેમનાં દ્વારા પ્રસિદ્ધ ગ્રંથ મુગ્ધ બોધ ની રચના કરવામાં આવી હતી તેણે લખ્યું હતું તેમનું લખેલું ક્વીક્લ્તદ્ર્મ તથા અન્ય અનેક ગ્રંથો પ્રસિદ્ધ છે જે હેમાદ્રી નાં સમકાલીન હતા અને દેવગીરી ના યાદવ રાજા નાં દરબાર નાં વિદ્વાન હતા. તે સરસ્વતી માતા ના પરમ ભક્ત ગણતા હતા.
જો તમે વિદ્વાન બનવા ઈચ્છો છો તો વસંત પંચમી નાં દિવસે માં સરસ્વતીની પૂજા જરૂર કરવી અને વ્રત રાખવું આ દિવસે પુસ્તકનું પૂજન કરવું અને સાથે જ માં ને પીળા રંગ નાં ફૂલ અર્પણ કરવા પીળો રંગ માં સરસ્વતીની ખૂબ જ પ્રિય છે. વસંત પંચમી નાં દિવસે બાજોઠ પર પીળા રંગનું કપડું પાથરી અને તેનાં પર માં ની પ્રતિમા રાખી પીળા રંગ નાં વસ્ત્ર અને ફૂલ અર્પણ કરવા. ત્યારબાદ વંદના કરવી અને માં સરસ્વતી સાથે જોડાયેલ મંત્રો નાં જાપ કરવા.