મહાશિવરાત્રી પર ભૂલથી પણ શિવલીંગ પર ના ચડાવવી આ ૫ વસ્તુઓ, અન્યથા ભગવાન શિવજી થઈ શકે છે નારાજ

મહાશિવરાત્રી પર ભૂલથી પણ શિવલીંગ પર ના ચડાવવી આ ૫  વસ્તુઓ, અન્યથા ભગવાન શિવજી થઈ શકે છે નારાજ

મહાશિવરાત્રીનો દિવસ દેવોનાં દેવ મહાદેવને સમર્પિત છે. આ  દિવસે ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે છે. આ દિવસે દિવસે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તો જુદા જુદા ઉપાયો કરે છે. હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં કૃષ્ણપક્ષની તેરસ ની તિથિનાં શિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર ૧૧ માર્ચ ૨૦૨૧ નાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન શિવજીની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવામાં આવેછે. એવું માનવામાં આવે છે કે, જે ભક્ત સાચા મનથી પૂજા કરે  છે. તેનાં જીવનનાં દરેક કષ્ટ મહાદેવ દૂર કરે છે.

મહાશિવરાત્રી નાં દિવસે ચારે દિશાઓમાં બમ બમ ભોલે નો નાદ સંભળાય છે. ભગવાન ભોલેનાથ નો સ્વભાવ ખૂબ જ ભોળો છે. તે પોતાના ભક્તો પર જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. ભક્ત પણ ભગવાન શિવજીને મનાવવા અને તેમનાં આશીર્વાદ મેળવવા દરેક પ્રકારનાં પ્રયત્નો કરે છે. જો તમે પણ આ મહાશિવરાત્રી નાં દિવસે ભગવાન ની કૃપા મેળવવા ઈચ્છતા હોવ તો તેમની પૂજા દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું. ભગવાન શિવજીની પૂજા દરમિયાન આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ નહીં. તેનાથી મહાદેવ નારાજ થઈ શકે છે. તો ચાલો જાણીએ મહાશિવરાત્રિની પૂજા દરમિયાન કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ નહીં.

તુલસી

તુલસી ને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસી નાં છોડની પૂજા કરવામાં આવે છે. અને દરેક શુભ કાર્ય અને પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ભગવાન શિવજીની પૂજા દરમ્યાન તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી. ભોળાનાથની પૂજા દરમિયાન તુલસી નો ઉપયોગ કરવાથી તમારી પૂજા પૂર્ણ થતી નથી. માટે મહાશિવરાત્રી માં ભગવાન શિવજીની પૂજા દરમિયાન તેમને તુલસી અર્પણ કરવા નહીં.

શંખ

મહાશિવરાત્રીનાં દિવસે ભગવાન શિવજીની પૂજા દરમ્યાન શંખ નો  પણ ઉપયોગ ના કરવો. તેની પાછળ એક પૌરાણિક કથા છે. ભગવાન શિવજીએ શંખચૂર નામનાં એક અસુરનો વધ કર્યું હતું. જે ભગવાન વિષ્ણુ નો મોટો ભક્ત હતો. શંખને તે અસુર નું પ્રતિક ગણવામાં આવે છે.

સિંદૂર અથવા કંકુ

ભગવાન શિવજી વૈરાગી છે. તેથી ભગવાન શિવજીની પૂજા દરમ્યાન કંકુ અર્પણ કરવું નહીં. મહાશિવરાત્રી નાં દિવસે ભોળાનાથની આરાધના સમયે પૂજા દરમ્યાન ભગવાનને કંકુ કે સિંદૂર અર્પણ કરવું નહીં.

નાળિયેર

મહાશિવરાત્રી નાં પાવન તહેવાર પર તમે શિવજીની પૂજા દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, આ સમય દરમ્યાન નાળિયેર નાં પાણીનો અભિષેક ના કરવો. તમને જણાવી દઈએ કે, નાળિયેર ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રતિક છે. જેનો સંબંધ ભગવાન વિષ્ણુજી ની સાથે છે.

ખંડિત ચોખા

શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભગવાન શિવજીની પૂજા દરમ્યાન ખંડિત ચોખા અર્પણ કરવા જોઇએ નહીં. કારણ કે તેને અપૂર્ણ અને અશુભ ગણવામાં આવે છે. માટે મહા શિવરાત્રી નાં દિવસે પૂજા દરમિયાન શિવજીને ચોખા અર્પણ કરતી વખતે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *