મંત્ર જાપ કરવાની માળામાં ૧૦૮ મણકા શા માટે હોય છે, જાણો તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

મંત્ર જાપ કરવાની માળામાં ૧૦૮ મણકા શા માટે હોય છે, જાણો તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

શાસ્ત્રોમાં ઘણા મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ મંત્રોને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે અને તેનો જાપ કરવાથી તમામ દુઃખોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં મંત્રો નો જાપ કરતી વખતે ચોક્કસ નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિયમ અનુસાર મંત્ર જાપ કરવામાં આવે તો તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.મંત્ર જાપ માળા દ્વારા કરવામાં આવે છે. મંત્રનો જાપ કરવા માટે ઘણા પ્રકારની માળાઓ પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ દરેક માળામાં ૧૦૮ મણકા જ હોય છે. શાસ્ત્રો અનુસાર ૧૦૮ મણકાનું ખૂબ જ મહત્વ છે. તેથી જ માળામાં ૧૦૮ મણકા હોય છે. દરેક મંત્ર નો જાપ ૧૦૮ વાર કરવામાં આવે છે. ઉપરાંત વિજ્ઞાનમાં પણ ૧૦૮ ની સંખ્યા નું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માળામાં ૧૦૮  મણકા નો સંબંધ આપણા શ્વાસ સાથે હોય છે.

શાસ્ત્રો મુજબ ૨૪ કલાકમાં ૧૨ કલાક મનુષ્ય પોતાનાં કાર્યોમાં વ્યસ્ત રહે છે. અને બાકીની ૧૨ કલાક મનુષ્ય એ ભગવાનનું નામ લેવું જોઈએ.  ૧૨ કલાકમાં વ્યક્તિ લગભગ ૧૦૮૦૦ શ્વાસ લે છે. પરંતુ એક દિવસમાં ૧૦૮૦૦ વાર મંત્રનો જાપ થઈ શકતા નથી તેથી આ સંખ્યા ની પાછળ થી બે ઝીરો કાઢીને સંખ્યાને ૧૦૮ કરી દેવામાં આવી. એક દિવસમાં મનુષ્ય એ ૧૦૮ વાર ભગવાનનું નામ લેવું જોઈએ. આ કારણે માળામાં ૧૦૮ મણકા હોય છે.

વૈજ્ઞાનિક મહત્વ

 

વિજ્ઞાનમાં પણ ૧૦૮ ની સંખ્યાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર એક વર્ષમાં સૂર્યની ૨૧૬૦૦૦ હજાર કળાઓ બદલાય છે. છ મહિનામાં ઉતરાયણ રહે છે અને છ મહિનામાં દક્ષિણાયન રહે છે. આ રીતે જ છ મહિના સૂર્ય ની કળાઓ ૧૦૮૦૦૦ વાર બદલાય છે. આમ આ સંખ્યા નાં અંતમાં થી ત્રણ મીંડા હટાવાથી ૧૦૮ સંખ્યા મળે છે. શાસ્ત્રોમાં ૧૦૮ મણકાને સૂર્ય ની કળાનાં પ્રતીક માનવામાં આવે છે. મંત્ર જાપ કરવા માટે ઘણા પ્રકારની માળાઓ નો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મંત્ર જાપ માટે તુલસીની માળા, રૂદ્રાક્ષ વગેરે માળા નો ઉપયોગ કરવામાં આવે છે.

કઈ માળા દ્વારા ક્યા ભગવાન નાં નામનો જાપ કરી શકાય

માં લક્ષ્મીની ઉપાસના દરમ્યાન કમળનાં ફૂલની માળા નો ઉપયોગ કરવામાં આવે છે. અને આ કમળ ની માળા થી ભગવાન વિષ્ણુનાં મંત્રોનો ના નામનો જાપ કરવામાં આવે છે. વૈજયંતિ ની માળા તેના બીજમાંથી બનાવવામાં આવે છે અને આ માળા થી સૂર્યદેવ અને શનિદેવ નાં મંત્રનો જાપ કરવામાં આવે છે. તુલસીની માળા પર વિષ્ણુ, ભગવાન રામ, કૃષ્ણ ભગવાન નાં નામો નો જાપ કરવામાં આવે છે. ચંદનની માળા થી માં દુર્ગા નાં  મંત્રોનો જાપ કરવામાં આવે છે. રુદ્રાક્ષની માળા થી  શિવજીનાં મંત્રનો જાપ કરવાનો નિયમ હોય છે. જયારે હળદરની માળા દ્વારા ભગવાન ગણેશજી અને પિતાંબરી દેવી માં બગલામુખી નાં મંત્ર નો જાપ કરવામાં આવે છે.

જાપ કરતી વખતે આ વસ્તુઓનું ધ્યાન રાખવું

મંત્રો નાં જાપ હંમેશા સ્નાન કર્યા બાદ કરવા. મંત્ર જાપ કરતી વખતે તમારા હાથ પગ એકદમ સાફ હોવા જોઈએ. કોઈ પણ મંત્રનો જાપ કરતી વખતે તમારી સામે એક દીવો જરૂર કરવો. મંત્રનો જાપ પૂર્ણ કર્યા બાદ માળા ને મંદિરમાં જ રાખવી. સમય સમય પર માળા ને સાફ કરતા રહેવું. જે માળા નાં મણકા તૂટી ગયા હોય કે ખરાબ થઈ ગયા હોય તેનો પ્રયોગ મંત્ર જાપ માટે કરવો નહીં. ખંડિત માળા પીપળાનાં વૃક્ષ નીચે રાખવી અથવા પાણીમાં પ્રવાહિત કરી દેવી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *