પેટ ફૂલવું અને ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રામબાણ છે, આ ઘરેલુ ઉપાય

વધારે ગેસ થવાના કારણે પેટ ફુલવાની સમસ્યા કેટલાય લોકોને હોય છે ડોક્ટર નાં કહેવા પ્રમાણે આ આંતરડા માટે એક ખરાબ સ્વાસ્થ્ય લક્ષણ છે. પેટ ફૂલવું એટલે કે બ્લોટીગ એક સામાન્ય બીમારી થઈ ગઈ છે. આ બીમારી વધારે પડતા ગેસ બનવાના કારણે થાય છે ડોક્ટરની ભાષામાં કહીએ તો પેટ ફૂલવું એટલે કે પેટની આસપાસ સોજો આવવો ગેસ તેને ગેસ્ટઈટીસ પણ કહેવામાં આવે છે. ઘણીવાર તેના કોઈ લક્ષણો દેખાતા નથી જેના કારણે લોકો આ બીમારી પર વધારે ધ્યાન આપતા નથી. વિશેષજ્ઞ મુજબ જો આ બીમારી પર યોગ્ય સમયે ધ્યાન દેવામાં ના આવે તો આ બીમારી એક ખતરનાક રૂપ લઇ લે છે.
વિશેષજ્ઞો મુજબ ઘરેલુ ઉપાયો થી આ બીમારીનો ઈલાજ કરી શકાય છે. ખાસ ખાસ વાત તો એ છે કે આ ઘરેલુ ઉપાય ની કોઈ સાઈડ ઈફેક્ટ પણ છે નહિ અને આયુર્વેદિક એક્સપોર્ટ પણ પેટ ફૂલી જાય એટલે કે બ્લોટિંગ આતરડા માટે એક ખરાબ સ્વાસ્થ્ય નું લક્ષણ છે તેના માટે બ્લોટીગ થી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરવો ખોટો નથી. પરંતુ આ બીમારીથી હંમેશા માટે રાહત મેળવવા માટે તેનું કારણ શોધવું જરૂરી છે અને તેનો ઈલાજ કરવાની આવશ્યકતા રહે છે.
બીમારી નું લક્ષણ
પેટ ફુલવાની બીમારીનાં કેટલાય લક્ષણો હોય છે. તેને નજરઅંદાજ કરવા જોઈએ નહિ. તેનું સૌથી સામાન્ય લક્ષણ પેટ ભારે હોવાનું મહેસૂસ થવું. આ ઉપરાંત ડોક્ટરો મુજબ પેટમાં દુખાવો થવો, ગભરામણ થવી, થાક લાગવો, કમજોરી મહેસૂસ થવી સાથે જ વજન ઘટવા લાગે છે. માથાનાં દુખાવાની પણ સમસ્યા થઈ શકે છે.
ઘરેલુ ઉપાય
- ભોજન નાં ૪૫ મિનિટ બાદ અડધી ચમચી અજમો અને સિંધાલુંણ નમક ગરમ પાણી સાથે લેવું.
- આખો દિવસ ફુદીનાનું પાણી પીવું પેટ ફુલવાની સમસ્યા માટે તેને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.
- ભોજન નાં એક કલાક પછી ઇલાયચીનું પાણી પીવું તે પણ ખૂબ જ મદદરૂપ થાય છે.
- ભોજન નાં એક કલાક પહેલા જીરું અને વરિયાળી ચાવવા.
- આ વસ્તુથી દૂર રહેવું
- ભોજન પછી વધારે પાણી પીવાથી બચવું.
- ભોજન પછી તુરંત જ આરામ કરવો નહીં.
- જંકફૂડ અને ફાસ્ટ ફુડ નું સેવન બિલકુલ કરવું નહીં.
- વધારે સમય સુધી પેટ ને ખાલી રાખવું નહીં.