રોજ એક વાટકો દહીં સાથે ગોળનું સેવન કરવાથી, લોહી શુદ્ધ થશે અને વધારશે રોગ પ્રતિકારક શક્તિ

રોજ એક વાટકો દહીં સાથે ગોળનું સેવન કરવાથી, લોહી શુદ્ધ થશે અને વધારશે રોગ પ્રતિકારક શક્તિ

દહી નું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. કારણ કે તેમાં પ્રચુર માત્રામાં પૌષ્ટિક તત્વો રહેલા હોય છે. તેની સાથે જો ગોળ ભેળવીને ખાવામાં આવે તો દહીં ની તાકાત વધી જાય છે ગોળમાં પણ ભરપૂર માત્રામાં આયરન હોય છે. તેથી દહીં અને ગોળ નું સાથે સેવન કરવામાં આવે તો શરીરમાં તેનો ખૂબ જ અસરકારક પ્રભાવ જોવા મળે છે. દહીં સાથે ગોળ ખાવામાં આવે તો ફાયદાઓ ડબલ થઈ જાય છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ દહીંની સાથે ગોળ ખાવાથી કયા ૩ પ્રકાર નાં લાભ થાય છે દહીં સાથે ગોળ ખાવાથી ફક્ત તમારું પેટ જ નહીં પરંતુ તમને સ્વાસ્થ્ય સંબંધી અન્ય બીમારીઓમાં પણ રાહત મળે છે.

એનિમિયા  માં રાહત

મહિલાઓ માં સૌથી મોટી સમસ્યા એનીમિયા ની હોય છે. એનિમિયા એક એવી બીમારી છે જેના લીધે શરીર માં લોહી ની કમી થઈ જાય છે. દહી અને ગોળને સાથે ખાવાથી શરીરમાં લોહી વધે છે અને એનિમિયા જેવી બીમારી માં રાહત મળે છે.

પીરિયડ્સ નાં દુખાવામાં આરામ

મહિલાઓને દર મહિને માસિક ધર્મ ના દુખાવા માંથી પસાર થવું પડે છે. કેટલીક મહિલાઓને દુખાવો એટલો હોય છે કે તે સહન કરી શકતી નથી. દુખાવો અસહ્ય બની જાય છે. જો તમને પણ માસિક ધર્મમાં દુખાવો થતો હોય તો એક વાટકો દહીં સાથે ગોળ નું સેવન શરૂ કરવાથી તેમાં રાહત મળે છે.

શરદી ઉધરસમાં રાહત

 

અત્યારે એવી સીઝન ચાલી રહી છે કે, જેમાં મોટે ભાગે લોકોને શરદી ઉધરસની સમસ્યા રહે છે. ગોળનું સેવન કરવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે. ગોળ માં રહેલ ગુણ પોટેશિયમ, કેલ્શિયમ આયર્ન, મેગ્નેશિયમ કોપર ઉધરસ માં રાહત આપે છે. સાથે દહીંમાં મોજૂદ હેલ્થી બેક્ટેરિયા તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

વજન ઘટાડવામાં મદદ

વધુ વજન હોવાના કારણે તમે પરેશાન હોવ અને ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ જો તમારું વજન નિયંત્રણમાં ન આવતું હોય તો એવામાં દહી અને ગોળનું સેવન કરવાથી તમને ફાયદો થશે નિયમિત રૂપથી જો દહીંમાં સાથે ગોળ સેવન કરવામાં આવે તો થોડા દિવસોમાં તમને પરિણામ અવશ્ય મળશે

ગોળ નાં ફાયદાઓ

  • ગોળમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ શરીર ને ફ્રી રેડીકલ થી થતા નુકસાનથી બચાવે છે. જેનાથી આગળ ચાલીને સંબંધી સ્વાસ્થ્ય સમસ્યાથી બચાવ મળે છે.
  • ગોળ ખાવાથી શરીર ની પ્રાકૃતિક રૂપથી સફાઈ થાય છે.
  • આંતરડા ને મજબૂત બનાવે છે. શરીરના તાપમાનને નોર્મલ રાખે છે. શ્વાસ સંબંધી બીમારીમાં રાહત મળે છે. લોહીને શુદ્ધ કરીને લોહીમાં હિમોગ્લોબિન ની માત્રામાં વધારો કરે છે.

દહીં નાં ફાયદા ઓ

  • દહીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે જેનાથી દાંતને ખૂબ ફાયદો થાય છે.
  • દહીં એક પ્રોબાયોટિક ખાદ્ય પદાર્થ છે જેમાં મોજુદ બેક્ટેરિયા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
  •  દહીં ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે.
  • એક વાટકો દહીં પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેનાથી તમારું વજન પણ ઓછું થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *