રોજ સવારે ખાલી પેટ જો આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો, તમે રહેશો એકદમ ફિટ અને એનર્જીથી ભરપૂર

રોજ સવારે ખાલી પેટ જો આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો, તમે રહેશો એકદમ ફિટ અને એનર્જીથી ભરપૂર

આજે તમને પ એવી વસ્તુઓ વિશે જણાવવા રહ્યા છીએ જેને સવારમાં ખાલી પેટ ખાવામાં આવે તો શરીરને ઘણા ફાયદાઓ થાય છે.આ વસ્તુઓ નું સેવન કરવાથી શરીરમાં ઘણા રોગોથી બચી શકાય છે. તેથી રોજ સવારે ખાલી પેટ આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. સાથે જ આ વસ્તુ કઈ છે અને સવારે ખાલી પેટ ખાવાથી શું લાભ મળે છે તેનાં વિશે જાણકારી આ પ્રકારે છે.

નવશેકું પાણી

નવશેકુ પાણી તંદુરસ્તી માટે ઉત્તમ ગણવામાં આવે છે. અને નવશેકું પાણી પીવાથી પેટ પર સારી અસર થાય છે. સવારમાં ઉઠીને નવશેકું પાણી પીવાથી શરીર ડીટોકસ થાય છે. અને શરીરમાં મોજુદ ઝેરીલા પદાર્થ શરીરની બહાર નીકળી જાય છે. આ ઉપરાંત નવશેકુ પાણી મેટાબોલિઝમ ને વધારે છે. અને પેટનાં ભાગ પર જામેલી ચરબી ઓછી કરે છે. જો તમારું વજન ઓછું કરવા માંગતા હોવ તો અને શરીરને અંદરથી સાફ રાખવા ઇચ્છતા હોવ તો રોજ સવારે ઊઠીને નવશેકુ પાણી પીવું જોઈએ.

કિસમિસ

કિસમિસ તમારી તંદુરસ્તી માટે ઉત્તમ ગણવામાં આવે છે. અને કિસમિસ ખાવાથી શરીરને ખૂબ જ લાભ પહોંચે છે આયુર્વેદિક અનુસાર જે લોકો રોજ સવારે ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાય છે. તેને શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી. હકીકતમાં કિસમિસ ની અંદર આયર્ન ની માત્રા ખૂબ જ હોય છે. જે શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે. આ ઉપરાંત સવારે ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાવાથી શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે. શરીર ને  થકાવટ મહેસૂસ થતી નથી. જો તમે રોજ રાત્રે સૂતા પહેલા એક વાટકીમાં કિસમિસ પલાળી અને સવારે તેને પાણીમાંથી કાઢીને ખાવાથી ખૂબજ ફાયદો થશે. પરંતુ ડાયાબિટીસ અને પીસીઓડી નાં દર્દીઓએ તેનું સેવન ન કરવું.

બદામ

 

બદામ ખાવાથી મગજ પર સારી અસર પડે છે. તેથી સવારે ખાલી પેટ બદામ ખાવાની સલાહ ડોક્ટર દ્વારા પણ આપવામાં આવે છે. રોજ સવારે ઓછામાં ઓછી પાંચ થી દસ પલાળેલી બદામ ખાવી. તેને ખાવાથી તમારું મગજ સારી રીતે કામ કરે છે. અને શરીરને ઊર્જા મળી રહે છે. બદામ ને છાલ કાઢીને ખાવી જોઈએ. બદામની છાલમાં ટેનિનસ નામનું તત્ત્વ હોય છે.  જે પોષક તત્વોને અવશોષિત થવાથી રોકે છે.

પપૈયું

પપૈયું ખાવાથી પેટ સ્વસ્થ રહે છે. સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી પેટની સારી રીતે સફાઈ થઈ જાય છે. તેથી જે લોકોને પેટને લગતી પરેશાની હોય તેવા લોકોએ પપૈયુ ખાવું જોઇએ. પપૈયું ખાવાથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે. અને કબજીયાત માં પણ આરામ મળે છે.

લીંબુ પાણી

આ લીંબુ પાણી પીવાથી તમને ઘણા બધા ફાયદાઓ થશે. લીંબુ પાણી પીવાથી પેટ સારી રીતે કામ કરે છે. અને વજન પણ ઓછુ થાય છે. રોજ સવારે સૌથી પહેલાં એક ગ્લાસ લીંબુ પાણી પીવું. તમે ઇચ્છો તો તેમાં મધ પણ મેળવી શકો છો. જો કે શુગર નાં રોગીએ મધ મેળવેલું લીંબુ પાણીનું સેવન ન કરવું. ઉપર જણાવેલી કોઈપણ એક વસ્તુને તમારી સવાર ની ડાયટમાં શામિલ કરો. તમને એક અઠવાડિયા ની અંદર જ તેની અસર જોવા મળશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *