રોજ સવારે પાલક નાં જ્યુસ નું સેવન કરવાથી થાય છે આ ફાયદા, રહેછે આ બીમારીઓ દૂર

રોજ સવારે પાલક નાં જ્યુસ નું સેવન કરવાથી થાય છે આ ફાયદા, રહેછે આ બીમારીઓ દૂર

પાલક એક પોષ્ટિક શાકભાજી છે. જે આપણી આસપાસ નાં બજારમાં તે સરળતાથી મળી રહે છે. આપણે તેનો ઉપયોગ સબ્જી,સલાડ અને જ્યૂસ તરીકે પણ કરીએ છીએ. તેમાં રહેલા વિટામિન અને ખનિજો તમારા શરીરને તમામ પોષક તત્વો પૂરા પાડે છે. ડોક્ટરો માને છે કે, સવારે પાલકનો રસ પીવાથી તમારા શરીરમાં ઘણા પરિવર્તન આવે છે. જેના કારણે તમે  તંદુરસ્તરહી શકો છો. ચાલો જાણીએ સવારમાં પાલકનો રસ પીવાથી થતા ફાયદાઓ વિશે

શરીર ને ડીટોક્ષ કરેછે

 

શરીરને ડીટોક્ષ કરવું ખૂબ જ જરૂરી છે. જેથી તમારા શરીરમાં રહેલો બધો કચરો સાફ થઈ જાય અને તેનાં કારણે તમારા શરીરમાં કોઈપણ પ્રકારના રોગ નો વિકાસ થાય નહીં. પાલક કરવામાં આવેલ સંશોધન મુજબ પાલક નો રસ પીવાથી શરીર ને ડીટોક્ષ કરવામાં મદદ મળે છે.

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો

જે લોકો ની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેઓએ પાલકના જ્યૂસનું સેવન કરવું જોઈએ. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી જોવા મળે છે વિટામીન સી એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. અને રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે. તે આપણા શરીરને અસર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેથી જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેઓએ પાલકનું જ્યૂસનું સેવન અવશ્ય કરવું જોઈએ.

આંખો માટે ફાયદાકારક 

પાલક નાં રસમાં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં હોય છે. વિટામીન એ આપણી આંખ માટે ખૂબ જ અગત્યનું હોય છે. એટલા માટે ડોક્ટર વિટામીન એ વાળા ખોરાકનું સેવન કરવાની સલાહ આપે છે. વિટામીન એ નું સેવન કરવાથી તમારી દ્રષ્ટિ સારી રહે છે. અને આંખોની લગતી બીમારીઓથી બચાવ થાય છે. તેથી આંખોને લગતી બીમારી થી રાહત માટે યોગ્ય માત્રામાં પાલક નાં જ્યુસ નું સેવન કરવું જોઈએ.

પોષક તત્વો પૂરા પાડે છે

પાલકને પોષક તત્વો નો સંગ્રહ પણ કહેવામાં આવે છે. તેમાં કેલરી અને મેગ્નેશિયમ પોટેશિયમ, વિટામિન, પ્રોટીન અને કેલ્શિયમ જેવા પૌષ્ટિક તત્વો રહેલા હોય છે. તેથી જો તમે પાલક નાં રસ નું સેવન કરો છો તો તમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે એટલા માટે દરરોજ એક ગ્લાસ પાલક નાં જ્યૂસનું સેવન કરવું જોઈએ.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *