સાંધાનાં દુખાવામાંથી રાહત મેળવવા માટે કરો મખાનાનું સેવન, જાણો તેનાં અન્ય ફાયદાઓ

સાંધાનાં દુખાવામાંથી રાહત મેળવવા માટે કરો મખાનાનું સેવન, જાણો તેનાં અન્ય ફાયદાઓ

હિન્દુ ધર્મશાસ્ત્રમાં મખાના નું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે આ જ કારણે તેને દરેક પૂજાપાઠ અને વ્રત દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે. પૂજા પાઠ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે, તેમાં એન્ટિ-બેક્ટેરિયલ એન્ટિવાયરલ જેવા ઔષધીય ગુણો હોય છે તે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે. મખાના ને હેલ્ધી સ્નેક્સ નાં રૂપે ખાવામાં આવે છે તમે નહીં જાણતા હો કે તેની ખેતી કેવી રીતે થાય છે તો ચાલો આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવી દઈએ કે, કેવી રીતે થાય છે મખાના ની ખેતી

Advertisement

આવી રીતે થાય છે મખાના ની ખેતી

વાત મખાના ની ખેતીની કરીએ તો ડિસેમ્બર અને જાન્યુઆરી નાં સમય દરમિયાન તેનાં બીજ નાખવામાં આવે છે ત્યારબાદ એપ્રિલમાં તેનાં છોડ માં ફૂલ ઉગે છે અને જુલાઈમાં તેનાં ફૂલ પાણી ઉપર તરવા લાગે છે. તેનાં ફળ ખૂબ જ કાંટાવાળા હોય છે અને તે બે મહિના સુધી પાણી નીચે રહે છે.ત્યારબાદ મખાના ફુલ ભેગા કરીને તેને તડકામાં સૂકવીને ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે મખાના ની ખેતી પૂરી રીતે પાણીમાં થાય છે તેથી તેમાં કેમિકલ ફર્ટીલાઇઝર નો ઉપયોગ કરવામાં બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. જણાવી દઈએ કે, ૮૦ ટકા મખાના ની ખેતી બિહાર નાં મિથીલાચલ  માં થાય છે.

ઉપયોગ

ભારતમાં મખાના નો  ઉપયોગ વધારે પૂજાપાઠમાં કરવામાં આવે છે. આમ તો તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે કારણ કે તેમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એન્ટીઓક્સિડેન્ટ્સ જેવા ગુણો હોય છે તેનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. મ્ખાનાને કાચા અને તેની ખીર બનાવીને પણ ખાઈ શકાય છે ચાલો જાણીએ, મખના નાં ફાયદાઓ

ડાયાબિટીસ ને રાખે છે કંટ્રોલમાં

મખાના ડાયાબિટીસ ને કંટ્રોલમાં રાખે છે. તેવામાં ડાયાબિટીસ નાં દર્દીઓએ પોતાની ડાયટમાં મખાના ને  જરૂરથી સામેલ કરવા જોઇએ તેનાથી ખૂબ જ ફાયદો થાય છે.

હૃદયને રાખે છે સ્વસ્થ

મખાના લો ફ્લેટ હોય છે એવામાં તેનાથી શરીર નું કોલેસ્ટ્રોલ લેવલ વધતું નથી અને લોહીનો પ્રવાહ બરાબર રહે છે. હૃદય સ્વસ્થ રહેવાથી હાર્ટ સંબંધી બીમારીઓ નું જોખમ ઓછું રહે છે.

પાચનતંત્ર થાય છે મજબૂત

મખાના ખાવાથી પાચનતંત્ર મજબૂત રહે છે સાથે જ પેટનો દુખાવો, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યા રહેતી નથી, કારણ કે તે ખૂબ જ હલકાં હોય છે અને આસાનીથી પચી જાય છે.

તણાવમાં રાહત

મખાના માં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેના કારણે શરીર નો માનસિક વિકાસ ખૂબ સારી રીતે થાય છે તમારા મગજનો વિકાસ તો થાય જ છે સાથે જ તણાવ પણ ઓછો થાય છે.

બ્લડ પ્રેશર રાખે કંટ્રોલમાં

મખાના માં કોલેસ્ટ્રોલની માત્રા ખૂબ જ ઓછી હોય છે તેથી તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. બ્લડ પ્રેશર નાં દર્દીઓ ને મખાના ને પોતાની ડાયટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.

સાંધા નાં દુખાવામાં રાહત

કેટલાક લોકો સાંધા નાં દુખાવાથી પરેશાન રહે છે. એવામાં એ લોકોએ પોતાની ડાયટમાં મખાના સામેલ કરવા જોઈએ. મખાના થી સાંધા નો દુખાવો અને શરીર નાં દુખાવાની સમસ્યા માં રાહત મળેછે.

વજન ઉતારવામાં મદદરૂપ

જો તમે વધારે વજનથી પરેશાન હોવ તો તમારા માટે મખાના રામબાણ ઇલાજ છે. કારણ કે, તેમાં ફેટ અને સુગર લેવલ ઓછું હોય છે. વધારે વજનથી પરેશાન લોકો મખાના ને સ્નેક્સ તરીકે પોતાની ડાયટમાં સામેલ કરી શકે છે.

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *