સાવધાન : જો તમને પણ રાત્રે આવેલા સપનાઓ રહી જાય છે યાદ, તો જરૂર જાણો આ વાત

સાવધાન : જો તમને પણ રાત્રે આવેલા સપનાઓ રહી જાય છે યાદ, તો જરૂર જાણો આ વાત

આપણામાંથી મોટાભાગના લોકોને ઊંઘતી વખતે આવેલા સપનાઓ યાદ રહી જાય છે.સપનાઓ અલગ-અલગ પ્રકારના હોય છે. ઘણા સપનાઓ સારા હોય છે તો ઘણા સપના  ભયજનક હોય છે. ઘણી વખત ઊંઘ પૂરી થયા બાદ યાદ નથી રહેતું કે સપનામાં શું જોયું હતું. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે, જેને સપના યાદ રહી જાય છે.આમ તો વૈજ્ઞાનિકો આજ સુધી જાણી નથી શક્યા કે સપના આખરે આવે છે શા માટે? તેઓ એમ જ માને છે કે, સપના યાદશક્તિ સાથે જોડાયેલા છે. આપણે સપના જોઈએ છીએ ત્યારે નકામી વસ્તુઓ આપણા મગજ માંથી બહાર નીકળી જાય છે. ઘણા લોકોની સાથે એવું થાય છે કે સપનું જોયા બાદ ઊઠે ત્યારે તેને અલગ જ તાજગીનો અનુભવ થાય છે. એવું એટલા માટે થાય છે કે, તેને સપનું યાદ રહેતું નથી. જે લોકોને સપનું યાદ રહે છે તે લોકો સપનું યાદ રહેવાના કારણે તણાવમાં રહે છે. અને તેના લીધે તેની ઊંઘ પર પણ તેની અસર થાય છે.

રેપિડ આઈ મોમેન્ટ ના સમયે જ સપના વધારે આવે છે. વૈજ્ઞાનિકો નું કહેવું છે કે, આ સમય દરમિયાન મગજ એકદમ સક્રિય થઈ જાય છે. આ કારણે જ સપનાઓ વધારે આવે છે. રાત્રે સૂતા પછી ૯૦ મિનિટ બાદ આ મુવમેન્ટ થાય છે. અને તે લગભગ ૨૦ થી ૨૫ મિનિટ સુધી ચાલુ રહે છે.

ઘણા કારણો હોય છે

વૈજ્ઞાનિકો નાં મત મુજબ તેના ઘણા કારણો હોય છે એક તો સારી રીતે ઊંઘ ન થવાને  કારણે આવું થાય છે. સારી રીતે ઊંધ ન કરી શકવાની બીમારીને ઇન્સોમિનિયા કહેવાય છે. આ બીમારીથી પીડાતા લોકોને સપના વધારે આવે છે. ઘણીવાર ડિપ્રેશનના કારણે અથવા અન્ય માનસિક બીમારીના કારણે પણ સપનાઓ યાદ રહી જાય છે.જ્યારે ગર્ભાવસ્થા શરૂ થાય છે તે સમય દરમિયાન મહિલાઓના શરીરમાં હોર્મોન્સના ફેરફાર થાય છે અને ઊંઘના ચક્રમાં પણ પરિવર્તન આવે છે. તેના કારણે તેઓને પણ સપના  વધારે યાદ રહે છે.

નશાકારક પદાર્થો નું સેવન કરવાના લીધે પણ સપના યાદ રહી જાય છે. તેનાથી મગજ શાંત રહી શકતું નથી. અને સપનાઓ વધારે આવે છે. અને તે યાદ પણ રહી જાય છે. જો વધારે પડતો તણાવ હોય મગજ પર તેની અસર પડે છે. આવું ચિંતા કે કોઈનાં મૃત્યુને કારણે અથવા કોઈ દુર્ઘટના ના કારણે હોઈ શકે છે. તેથી ખુબ ખરાબ સપના આવી શકે છે.

સપનાઓ યાદ રહે એ કંઈ પરેશાનીની વાત નથી. પરંતુ પરેશાની ત્યારે ઊભી થાય છે કે, જ્યારે સપના નકારાત્મક હોય છે અને યાદ રહી જાય છે. આ પ્રકારના સપના ના લીધે વ્યક્તિ માનસિક રૂપથી ડિસ્ટર્બ રહે છે. અને તે કારણે તેનો મૂડ ખરાબ રહે છે. નકારાત્મક વિચારો આવે છે. કામ કરવાની ક્ષમતા પર પણ પ્રભાવ પડે છે. ઊંધ સારી રીતે થઈ શકતી નથી. ઘણી વાર આવા કારણો ને લીધે લોકો જોખમી પગલું પણ ભરી શકે છે.

ઈલાજ

મોટાભાગે તો સપના યાદ રહેવાની બિમારી માં સમય ની સાથે જાતે જ સારું થઈ જાય છે. છતાં પણ લાંબા સમય સુધી તેમાં રાહત ન થાય તો ડૉક્ટરની સલાહ જરૂર લેવી.પોતાની રોજિંદી આદતો માં પણ પરિવર્તન કરવું, સારી રીતે ઊંઘ કરવી, તમારા વજન પર નિયંત્રણ રાખવું, પૌષ્ટિક ખોરાક લેવો, પાણી ખૂબ જ પીવું, સમયસર ઊંઘવાની કોશિશ કરવી, તણાવથી બને તેટલું દૂર રહેવું. આ બધા ઉપાય કરવાથી સપનાઓ યાદ રહેવાની પરેશાનીમાંથી છુટકારો મળશે.

આ ઉપરાંત ધ્યાન કરવાથી, યોગ પ્રાણાયામ કરવાથી પણ આરામ મળશે. તેમાં આર્ટ થેરાપી પણ કામ આવી શકે છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઈમેજીનરી રિહર્સલ થેરાપી પણ છે. તે થેરાપી માટે કોઈ વિશેષજ્ઞ ની મદદ લેવી પડે છે. ખરાબ સપના જે તમને યાદ છે તેના અંત ને તે બદલી દે છે. તેનાથી દર્દી ને જાગ્યા બાદ આરામનો અનુભવ થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *