શનિદેવ ની સાડાસાતી થી બચવા માટે કરો આ ઉપાય, પ્રસન્ન થઈ જશે શનિ મહારાજ

શનિદેવ ની સાડાસાતી થી બચવા માટે કરો આ ઉપાય, પ્રસન્ન થઈ જશે શનિ મહારાજ

સાડાસતી નાં નામથી દરેકને ભય લાગે છે. દરેક વ્યક્તિ એજ ઇચ્છા રાખે છે કે, તેનાં જીવનમાં ક્યારેય પણ સાડાસાતી ન આવે. જો કે શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિ નાં જીવનમાં એકવાર સાડાસાતી જરૂર આવે છે. અને તેનાં શરૂ થતાં જીવનમાં ઘણાં પ્રકારનાં કષ્ટો આવવા લાગે છે. પરંતુ એ જરૂરી નથી કે, દરેક વ્યક્તિ નાં જીવનમાં શનિની સાડાસાતી નો નકારાત્મક પ્રભાવ પડે. ઘણા લોકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે.

ક્યારે શરૂ થાય છે શનિની સાડાસાતી

પંડિતો અનુસાર શનિ જ્યારે આ ચંદ્ર રાશિથી એક ભાવ પહેલા ભ્રમણ કરવાનું શરૂ કરી દે છે ત્યારે વ્યક્તિ નાં જીવન માં શનિની સાડાસાતી શરૂ થાય છે. સાડાસાતી શરૂ થવા પર તેને નજર અંદાજ ન કરવી જોઈએ. અને નીચે જણાવેલા ઉપાયો કરવા જોઈએ. કારણ કે જે લોકોના જીવન પર શનિની સાડાસાતીનો નકારાત્મક કરવા પડે છે તે લોકોનું જીવન દુઃખોથી ભરાઈ જાય છે. તો ચાલો જાણીએ શનિની સાડાસાતી થી બચવા માટેના ઉપાયો

જરૂર ચડાવવો સરસવનું તેલ

કહેવામાં આવે છે કે, જે લોકો શનિદેવ ને સરસવનું તેલ અર્પિત કરે છે તે લોકોને શનિદેવ ક્યારેય કષ્ટ આપતા નથી. એક કથા અનુસાર શનિ દેવે  હનુમાનજી ને વચન આપ્યું છે કે, જે લોકો તેની પૂજા કરતી વખતે તેને સરસવનું તેલ અર્પણ કરશે તેનાં જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. તેથી શનિવાર નાં દિવસે શનિદેવ ને સરસવનું તેલ જરૂર અર્પણ કરવું. ઉપરાંત શનિદેવને કાળી વસ્તુઓ અર્પણ કરવી. શનિ મહારાજ ને કાળો રંગ ખૂબ જ પ્રિય છે. તેથી જ કાળા રંગની વસ્તુઓ અર્પણ કરવાથી તે તમારે અનુકૂળ ફળ આપે છે. શનિવાર નાં દિવસે મંદિરે જાઈને કાળા તલ, કાળા વસ્ત્રો, કાળી દાળ અર્પણ કરવી.

કાળી વસ્તુનું દાન

શનિવાર નાં કાળી વસ્તુનું દાન જરૂર કરવું. કાળી વસ્તુનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિવાર નાં  દિવસે સ્નાન કર્યા બાદ મંદિરે જઈ શનિદેવનું પૂજન કરવું. ત્યારબાદ કાળી વસ્તુઓનું ગરીબોને દાન કરવું. આ ઉપરાંત તમે ઈચ્છો તો ગરીબ લોકોને ભોજન પણ કરાવી શકો છો.

હનુમાનજી ની પૂજા કરવી

શનિદેવને પ્રસન્ન કરવા માટે અને શાંત કરવા માટે હનુમાનજીની પૂજા કરવી. શનિવાર નાં હનુમાનજી અને શનિદેવ ની પૂજા કરવાથી ગ્રહ શાંત થાય છે. અને શનિની સાડાસાતી ના ખરાબ પ્રભાવોથી રક્ષણ મળે છે. હનુમાનજીની પૂજા કરતી વખતે હનુમાન ચાલીસા અને સુંદરકાંડ નાં પાઠ કરવા. એવું કરવાથી શનિદેવ નાં ખરાબ પ્રભાવ થી રાહત મળે છે.

શનિ બીજ મંત્ર નાં જાપ કરવા

શનિની સાડાસાતી શરૂ થવા પર શનિ બીજ મંત્ર  “ऊँ प्रां प्रीं प्रौं स: शनये नम:”  નાં જાપ કરવા. દર શનિવારે મંદિરે જઈ આ જાપ કરવાથી શનિ મહારાજની કૃપા બની રહે છે. આ ઉપરાંત શનિ મહારાજ મંત્ર ऊँ शं शनैश्चराय नमः  ૧૦૮ વાર જાપ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.

પીપળા નાં વૃક્ષ પાસે દીવો કરવો

સાડાસાતી શરૂ થવા પર શનિવાર નાં દિવસે પીપળા નાં ઝાડ નીચે એક દીવો જરૂર કરવો. દરરોજ પીપળા નીચે એક દીવો કરવો ખાસ કરીને શનિવાર નાં દિવસે સૂર્યાસ્ત બાદ પીપળા નાં ઝાડ નીચે સરસવ નાં તેલનો દીવો કરવો. આ ઉપાય કરવાથી શનિ સાથે જોડાયેલ દરેક દોષ દૂર થાય છે.

આ વાતોનું ધ્યાન રાખો

  • શનિવાર શનિ સ્ત્રોત નાં પાઠ પણ કરવા. એ વાતનું ધ્યાન રાખવું કે, આ પાઠ શનિદેવ નાં મંદિરે જઈને કરવા ક્યારેય પણ ઘરમાં શનિદેવ ની મૂર્તિ ન રાખવી.
  • શનિવાર નાં દિવસે લોઢાની વસ્તુઓ ન ખરીદવી. તે દિવસે લોઢાની વસ્તુઓ ખરીદવાથી શનિ ગ્રહ ભારે થાય છે.
  • શનિવાર નાં ચંપલ કે કાળા બુટ ખરીદવાથી બચવું. આ ઉપરાંત શનિવાર નાં  દિવસે કોઈ કાળી વસ્તુઓ ની ખરીદી ન કરવી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *