શાસ્ત્રોમાં જણાવેલ આ વાતોનું રાખો ધ્યાન, માં લક્ષ્મીજીની કૃપાથી તમારું જીવન રહેશે ધન-સંપત્તિ થી પરિપૂર્ણ

શાસ્ત્રોમાં જણાવેલ આ વાતોનું રાખો ધ્યાન, માં લક્ષ્મીજીની કૃપાથી તમારું જીવન રહેશે ધન-સંપત્તિ થી પરિપૂર્ણ

દરેક મનુષ્ય એવું ઇચ્છે છે, કે તે પોતાનું જીવન સુખેથી પસાર કરે. દરેક વ્યક્તિ પોતાનાં  જીવનને સુખમય બનાવવા માટે દિવસ-રાત પ્રયત્નશીલ રહે છે. પરંતુ ન ઇચ્છવા છતાં પણ જીવનમાં કંઈક ને કંઇક મુશ્કેલી આવ્યા જ રાખે છે. આજે આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે આપણા શાસ્ત્રમાં એવી ઘણી વાતો કહેવામાં આવી છે, કે જે માણસ તેમનાં  જીવનમાં ઉતારે તો તે તેમનું જીવન સંતોષ અને સુખેથી જીવી શકે.જો તમે પણ આવું સુખ અને સમૃદ્ધિ ભરેલું જીવન જીવવા માટે પ્રયાસ કરી રહ્યા છો, તો આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવેલી કેટલીક વિશેષ વાતો વિશે માહિતી આપીશું. જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો હંમેશા માતા લક્ષ્મીજી ની કૃપા તમારા પર રહેશે.

માતા લક્ષ્મીજી નાં આશીર્વાદ મેળવવા માટે આ વાતો નું ધ્યાનમાં રાખો

શાસ્ત્રો અનુસાર મહિલાઓને માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મીજીનું રૂપ ગણવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પારકી સ્ત્રી પર ખરાબ નજર રાખે છે અથવા કોઈ પણ સ્ત્રીનું અપમાન કરે છે તો માં લક્ષ્મીજી તેનાથી નારાજ થઈ જાય છે. જો તમે માં લક્ષ્મીજી નાં આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો પારકી સ્ત્રી પર ક્યારેય ખરાબ નજર ન કરવી અને ઘરની સ્ત્રીઓનું અપમાન ના કરવું.. પુરાણોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે પુરુષ પારકી સ્ત્રી પર ખરાબ નજર કરે છે અથવા સ્ત્રીનું અપમાન કરે છે  તો તે પીડાદાયક  જીવન વ્યતીત કરે છે  અને ઘરમાં દરિદ્રતા આવે છે.

પૂજા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો

હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે. લોકો પોતાનાં ઘરમાં ભગવાનની મૂર્તિનું સ્થાપન કરીને ભગવાનની પૂજા કરે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. પરંતુ પૂજા ને લગતી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પૂજા કરતી વખતે ખાતરી કરો કે, તમે પૂજાની કોઈપણ સામગ્રી ને શંખ, શાલીગ્રામ વગેરે અશુભ સ્થાન કે જમીન ઉપર ના મૂકશો. તમે લાલ રંગનું સ્વચ્છ કાપડ પાથરી અથવા ચોખાની ઢગલી કરી તેનાં પર તેના પર આ વસ્તુઓ મૂકો.

નિઃસ્વાર્થ ભાવે દાન-પુણ્ય કરતા રહો

 

વ્યક્તિએ તેનાં જીવનમાં હંમેશા દાન કરવું જોઈએ. ધર્મશાસ્ત્રો અનુસાર દાન-પુણ્યનું ખૂબ જ મહત્વ ગણવામાં આવ્યું છે. પરંતુ દાન આપતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે દાન કરો તે દાનનો ઉલ્લેખ ક્યારેય ન કરો. કેમ કે, આ રીતે કરેલ દાનનું ફળ મળતું નથી. તમે હંમેશા ગુપ્ત દાન કરો. આ કરવાથી તમારા જીવનનો સૌથી મોટો સંકટ ટળી જશે.

વડીલો નો આદર કરો

 

શાસ્ત્રોમાં એ વાત પણ જણાવવામાં આવી છે, કે વ્યક્તિએ હંમેશા પોતાનાં વડીલોનો આદર કરવો જોઈએ. જેટલું ઉપવાસ, દાન, જપ-તપ અને ભગવાનની પૂજા કરવાનું છે તેટલું જ મહત્વ ઘરનાં વડીલો નું સન્માન કરવાનું પણ છે. તેથી તમારે વડીલોનો આદર કરવો જોઈએ અને તમારાથી નાના લોકો સાથે પ્રેમ ભાવના રાખવી જોઈએ.

સુર્યાસ્ત પછી ક્યારેય પણ આ કાર્ય ના કરો

શાસ્ત્રો અનુસાર કોઈએ ક્યારેય પણ સૂર્ય અને ચંદ્રમા નાં અસ્ત થતાં દર્શન ના કરવા જોઈએ. આને કારણે જીવનમાં નકારાત્મકતાની લાગણી ઉત્પન્ન થવા લાગે છે. આવા લોકોનાં જીવનમાં હંમેશા નિરાશા જ રહે છે. જ્યારે ઉગતા સૂર્યનાં દર્શન અને પૂર્ણિમાનાં દિવસે ચંદ્ર દર્શન ને ખૂબ જ સારું માનવામાં આવે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *