શિયાળામાં શરદી, ઉધરસ થાય તો તુરંતજ આ ૪ કામ કરવા, તુરંત જ રાહત મળશે

શિયાળામાં શરદી, ઉધરસ થાય તો તુરંતજ આ ૪ કામ કરવા, તુરંત જ રાહત મળશે

શિયાળા ની સિઝનમાં હંમેશા લોકોને શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. સાથે જ પૂરા વિશ્વમાં કોરોના વાઇરસ પણ ફેલાયેલો છે તેથી આ સમયે દરેકે પોતાનાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવામાં વ્યક્તિ હોસ્પિટલ જવાનું પસંદ કરતો નથી. જો શરદી અને ઉધરસ થાય તો આ ચાર ઘરેલુ ઉપાયો કરવાથી તરત જ રાહત મળે છે. તમને શરદી અને ઉધરસ ન પણ હોય તો આ વસ્તુઓ અજમાવી શકો છો તેનાથી શિયાળા ની સિઝનમાં બીમાર પડવાથી બચી શકો છો.

Advertisement

મધ

મધની અંદર એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ભરપૂર માત્રામાં હોય છે. જો તમને શરદી થઈ જાય તો બે ચાર દિવસ સુધી તેનું સેવન કરવું જોઈએ. મધને ડાયરેક્ટ જ એક એક ચમચી લઇ શકાય છે. અથવા તો ગરમ દૂધમાં પણ લઇ શકાય છે. જો તમને ઉધરસ અને કફની સમસ્યા હોય તો મધ ને દૂધ સાથે લેવું નહીં. આવી સ્થિતિમાં ગરમ પાણી સાથે મધનું સેવન કરી શકો છો તેનાથી તમને શરદી ઉધરસમાં આરામ મળશે અને ગળાનાં દુખાવા થી પણ રાહત મળશે.

આદુવાળી ચા

આદુની અંદર એન્ટીવાયરલ હની એન્ટી-ઇનફ્લામેટરી ગુણ હોય છે. તેથી તેનું નિયમિત રૂપથી સેવન કરવામાં આવે તો ગળાનાં દુખાવા અને માથાના દુખાવામાં રાહત મળે છે એટલું જ નહીં તેની અંદર મોજૂદ તત્વ શરદી ફેલાવતા વાયરસને પણ દૂર કરે છે. મધ અને આદુવાળી ચા પીવાથી શરદીમાં તુરંત જ રાહત થાય છે. તેને બનાવવા માટે એક કપ ઉકળતા પાણીમાં અડધો ટુકડો આદુ નાખવો અને તેને ત્રણ મિનીટ સુધી ઉકાળવું. ત્યારબાદ ઠંડુ થવા માટે રાખો જ્યારે તે નવશેકુ ગરમ હોય ત્યારે તેમાં એક ચમચી મધ ભેળવવું આ ચા ને દિવસમાં બે વાર લઈ શકો છો.

ગાર્ગલ અને વરાળ

જ્યારે પણ શરદી ઉધરસ થાય ત્યારે દિવસમાં ત્રણ-ચાર વાર ગરમ પાણી અને નીમક નાં ગાર્ગલ કરવા જોઈએ સાથે જ ગરમ પાણીમાં વિકસ નાખીને વરાળ લેવી તેનાથી જલ્દી આરામ મળે છે. એ વાતનું ધ્યાન રાખવું કે, આ ઉપાયોથી આરામ ન મળે તો તુરંતજ ડોક્ટર ની સલાહ લેવી.

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *