સૌપ્રથમ કરવા ચોથ નું વ્રત કોણે રાખ્યું હતું, આ વ્રત ની પરંપરા કઈ રીતે શરુ થઇ હતી

સૌપ્રથમ કરવા ચોથ નું વ્રત કોણે રાખ્યું હતું,  આ વ્રત ની પરંપરા કઈ રીતે શરુ થઇ હતી

કરવા ચોથ  નું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વ રાખે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનાં પતિનાં લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે પ્રાચીન કાળમાં દેવીઓ તેમનાં પતિઓ માટે આ વ્રત કરતી હતી. મહાભારત કાળમાં પણ આ વ્રત નો પ્રસંગ જોવા મળે છે. ચાલો જાણીએ કરવા ચોથ વ્રત ની પરંપરા કઈ રીતે શરુ થઇ હતી અને સૌથી પહેલા આ વ્રત કોણે રાખ્યું હતું.

Advertisement

આ રીતે કરવા ચોથ વ્રત ની શરૂઆત થઈ હતી

પુરાણો અનુસાર સૌપ્રથમ દેવી પાર્વતી એ પોતાનાં પતિ ભોળાનાથ માટે આ વ્રત રાખ્યું હતું. આ વ્રત નાં પ્રભાવ થી તેને અખંડ સૌભાગ્યવતી નું વરદાન મળ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનાં પતિ માટે આ વ્રત કરે છે અને તેનાં લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

બ્રહ્મદેવે પણ આ વ્રત કરવાની સલાહ આપી હતી

પૌરાણિક કથા અનુસાર એકવાર દેવતાઓ અને રાક્ષસો ની વચ્ચે યુદ્ધ થયું આ યુદ્ધ એટલું બધું ભયંકર હતું કે દેવતા હોય એ પોતાની પૂરી તાકાત લગાવી છતાં તેઓ જીતી શકતા ન હતા. દેવતાઓ પર રાક્ષસો ભારે પડતા હતા. ત્યારે બ્રહ્મદેવે દેવીઓ ને કરવા ચોથ વ્રત કરવાની સલાહ આપી તેઓએ જણાવ્યું કે આ વ્રત નાં પ્રભાવ થી તમારા પતિઓ દાનવો સાથે નાં યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરશે. તેના આદેશ અનુસાર દેવીઓએ પોતાનાં પતિઓ માટે કારતક મહિના ની ચોથ નાં દિવસે આ વ્રત કર્યું. તેના પ્રભાવથી દેવતાઓ ને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થઇ. ત્યારથી કરવા ચોથ નાં વ્રત ની પરંપરા શરૂ થઈ.

દ્રૌપદી એ પણ કરવા ચોથ નું વ્રત કર્યું હતું

એકવાર અર્જુન નીલગીરી પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા. તે સમયે પાંડવો પર સંકટ આવ્યું ત્યારે દ્રૌપદી એ શ્રીકૃષ્ણ ની મદદ માંગી ત્યારે શ્રીકૃષ્ણ એ તેને કહ્યું, કારતક મહિના ની ચોથ નાં દિવસે વ્રત કરો. શ્રીકૃષ્ણ આદેશ અનુસાર દ્રૌપદી એ વ્રત કર્યું અને તેના પ્રભાવ થી પાંડવો ને સંકટ માંથી મુક્તિ મળી.આ વ્રત નાં પ્રભાવ થી પતિ ને લાંબા આયુષ્ય ની સાથે તમામ મુશ્કેલીઓ માંથી પણ મુક્તિ મળે છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *