સૂર્યદેવ નાં નક્ષત્ર પરિવર્તન થી આ ૪ રાશિના લોકો ને થઈ શકે છે મુશ્કેલીમાં વધારો, રહેવું સાવધાન

જ્યોતિષ અનુસાર સમક્ષ ગ્રહોનાં રાજા સૂર્યદેવ ૪ માર્ચનાં સાંજના ૬ :૦૦ કલાકે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. અને ૧૭ માર્ચ ૨૦૨૧ નાં મોડીરાત ૨:૨૧ સુધી ત્યાં બિરાજમાન રહેશે. સૂર્યનાં આ પરિવર્તનને કારણે દરેક રાશિ ઉપર તેનો શુભ અશુભ પ્રભાવ જોવા મળશે. કેટલીક રાશિના લોકો આવવા છે જેની કુંડળીમાં આ પરિવર્તન નો વિપરીત પ્રભાવ જોવા મળે છે. તો ચાલો જાણીએ આ નક્ષત્ર પરિવર્તન કઈ રાશિના જાતકો માટે રહેશે અશુભ
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા લોકોને સૂર્ય નક્ષત્ર પરિવર્તનને કારણે ભાઈ-બહેનોનાં સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરંતુ તમારે તમારી આવક અનુસાર જ ખર્ચાઓ કરવા. બિનજરૂરી ખર્ચાઓ ટાળવાની કોશિશ કરવી. અચાનક થી ફસાયેલા નાણા પરત મળી શકશે. પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને ગેરસમજ થઈ શકે છે. ખરાબ સંગતથી બચવું. અન્યથા તમારા માન-સન્માનને નુકસાન પહોંચી શકે છે. પ્રેમ જીવનમાં ઉતાર-ચડાવ ની સ્થિતિ બની રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ સમય થોડો મુશ્કેલ રહેશે. સૂર્ય નક્ષત્ર ને કારણે આર્થિક બાબતોમાં સંભાળીને રહેવાની જરૂર રહેશે. કોઈ કામને લઈને વધારે મહેનત કરવી પડશે. કામકાજ માં વિધ્ન આવી શકે છે. મનમાં ચિંતા બની રહેશે. સ્વાસ્થ્યમાં કમજોર જોવા મળશે. તમારું વિચારેલું કાર્ય સમય પર પૂર્ણ ન થવાને કારણે માનસિક તણાવ રહેશે.
મેષ રાશિ
મેષ રાશિવાળા લોકોને સૂર્યદેવ નાં નક્ષત્ર પરિવર્તનને કારણે જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે. ખર્ચાઓમાં વધારો થઈ શકે છે. તમારી આવકમાં કમી આવશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ ની સ્થિતિ બની રહેશે. વાહન ચલાવતી વખતે બેદરકારી રાખવી નહીં. નહીંતર દુર્ઘટના થવાની સંભાવના છે. કોઈ પ્રકારનાં વિવાદથી બચવું. કામકાજ ની બાબત માં વધારે ભાગદોડ કરવી પડશે. મહેનત અનુસાર ફળ પ્રાપ્તિ ન થવાને કારણે તમારું મન ઉદાસ રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોના જીવનમાં ઘણા પરિવર્તનો જોવા મળશે. તમારી યોજનાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેશો. સુખ સુવિધા નાં સાધનો પાછળ ખર્ચ થઇ શકશે. બાળકોને લઈને પરેશાની રહેશે. વેપારમાં ઉતર ચડાવ ની સ્થિતિ રહેશે. કોઈને ઉધાર આપેલા પૈસા પરત ન મળવાને કારણે માનસિક તણાવ રહેશે. નોકરીના ક્ષેત્રમાં તમારા સહકર્મચારી સાથે મતભેદ થવાની સંભાવના છે. ઘર પરિવાર નું વાતાવરણ તણાવગ્રસ્ત રહેશે.