ઉપયોગ કરવામાં આવેલી ચા ની ભુકી ને ભુલથી પણ ફેંકવી નહીં, સોના કરતાં પણ વધારે છે કિંમતી

ઉપયોગ કરવામાં આવેલી ચા ની ભુકી ને ભુલથી પણ ફેંકવી નહીં, સોના કરતાં પણ વધારે છે કિંમતી

ચા અને કોફી પીવી ઘણા લોકોને પણ હોય છે અને ઘણા લોકો દરરોજ એક કપ ચા તો જરૂર પીવે છે. વળી ચા બનાવ્યા બાદ મોટાભાગનાં લોકો ચા ગાળીને બચી ગયેલી નકામી ભૂકીને ફેંકી દેતા હોય છે. જો તમે પણ ચા ગાળી લીધા બાદ તેની ભૂકી ફેંકી દો છો તો તમારે એવું કરવું જોઈએ નહીં. કારણ કે ચા ની ભૂકીનો પ્રયોગ કરીને ઘણા પ્રકારની તકલીફો માંથી છુટકારો મેળવી શકો છો અને ચહેરાને કરી શકો છો. ચા ની ભૂકી તથા કોફીનો પ્રયોગ કઈ કઈ ચીજોમાંથી રાહત મેળવવા માટે કરી શકાય છે. તેની જાણકારી અમે તમને અમારા આ લેખમાં જણાવીશું.

ત્વચાને રાખે યોગ્ય રીતે સાફ

ભુકી અથવા કોફી ગ્રાઉન્ડ અને એક્સફોલિએટર નાં રૂપમાં ઉપયોગ કરી શકાય છે અને આ બંને ચીજોને ચહેરા પર લગાવવાથી ચહેરા પર રહેલ મૃત ત્વચાને સાફ કરી શકાય છે અને ચહેરો એકદમ ખીલી ઊઠે છે. તમે ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડ લઈને તેમાં થોડું નાળિયેરનું તેલ ઉમેરી દો અને એક પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને પોતાના ચહેરા પર ૧૦ મિનિટ સુધી સ્ક્રબ કર્યા બાદ તમે પોતાના ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરી લો. સપ્તાહમાં બે વખત ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડ કરવાથી ચહેરા પર રહેલ મૃત ત્વચા સાફ થઈ જાય છે.

હોઠ થઈ જાય ગુલાબી

જે લોકોના હોઠ અને ત્વચા કાળી હોય તે લોકો ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડને કોઈપણ તેલમાં ઉમેરીને પોતાના હોઠ પર લગાવો અને બે મિનિટ સુધી પોતાના હોઠ પર ઘસો. તમે ઈચ્છો તો તેલને બદલે ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડમાં મદદ પણ ઉમેરી શકો છો.

દુર્ગંધ કરે દૂર

ચા ની ભૂકી અને ગ્રાઉન્ડેડ કોફીની મદદથી પગને દુર્ગંધને પણ દૂર કરી શકાય છે. પગની દુર્ગંધ આવવા પર તમે એક ટબમાં પાણી નાખી દો અને તેની અંદર ચા ની ભૂકી નાંખો. આ ટબમાં પોતાના પગને ૧૦ મિનિટ સુધી રાખો. આ પાણીમાં પગ રાખવાથી પગની દુર્ગંધ એકદમ દૂર થઈ જાય છે અને તમારા પગની દુર્ગંધ માંથી તમને રાહત મળી જાય છે.

સન બર્ન દૂર કરે

સન બર્ન થવા પર તમારે પોતાની ત્વચા પર ચાની ભૂકી લગાવવી જોઈએ. ચા ની ભૂકી લગાવવાથી સનબર્નથી આરામ મળે છે અને સનબર્ન ઠીક થઈ જાય છે. સનબર્ન થવા પર તમારે ૩ કપ પાણી ઉકાળવું અને તેમાં ચા ની ભૂકી ઉમેરી દેવી. આ પાણીને ૧૫-૨૦ મિનિટ સુધી ઉકાળી ગયા બાદ ઠંડુ કરી લો. પાણી ઠંડું થઇ ગયા બાદ તેને તમારી ત્વચા પર લગાવો. આ પાણીને લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે અને ત્વચા એકદમ સાફ થઈ જાય છે.

મોઢાની દુર્ગંધ દૂર કરે

મોઢાની દુર્ગંધ આવવા પર તમારે ચા ની ભૂકીનાં પાણીથી કોગળા કરવા જોઇએ. ચા ની ભૂકી નાં પાણીથી કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે. તમારે બસ ચા ની ભૂકીને પાણીમાં ઉકાળી લેવાની છે અને પછી તે પાણી ઠંડું થઇ ગયા બાદ તેનાથી કોગળા કરી લેવાના છે. દિવસમાં બે વખત આ પાણીથી કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ એકદમ દૂર થઈ જાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *