વર્ષ ૨૦૨૧ માં કોરોના થી મળશે છૂટકારો કે વધશે મુશ્કેલીઓ, જાણો શું કહે છે ગ્રહો નક્ષત્રોની ચાલ

વર્ષ ૨૦૨૦ ભારત સહિત આખી દુનિયા માટે ભયજનક રહ્યું. આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારી એ ખૂબ જ તબાહી મચાવી જેના કારણે લાખો લોકોએ પોતાના જીવન ગુમાવ્યા છેએટલું જ નહીં પરંતુ અર્થવ્યવસ્થા થી લઈને નોકરીમાં, ખેતી, વ્યવસાય દરેક ક્ષેત્રમાં નુકસાન થયું છે.આવવામાં દરેક લોકો ને વર્ષ ૨૦૨૧ થી ખુબજ આશા છે. આજે અમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એ જણાવીશું કે, આવનાર વર્ષ ૨૦૨૧ ભારત માટે કેવું રહેશે
કેવી રહેશે રાજનીતિ ની સ્થિતિ
૨૦૨૦ માં રાજનીતિમાં સત્તા પર રહેલ બીજેપી નું વર્ચસ્વ જોવા મળશે ૨૦૨૧ માં બીજેપી નું વર્ચસ્વ કાયમ રહી શકશે તે સરકાર કૃષિ અને સ્વાસ્થ્ય સંબંધી મુદ્દા પર કેટલાક સારા પગલા લઈ શકે છે
કેરિયર અને વેપાર
વ્યવસાય ની બાબતમાં ૨૦૨૧ ખૂબ જ અનુકૂળ રહેશે. નણાકીય લેવડદેવડ ની બાબતમાં પણ ખૂબ સારું રહેશે ૨૦૨૧ માં બુધ નું સૂર્ય ના ચોથા ભાવમાં ગોચર થવાથી શુભ સંકેત છે તેનાથી કેરિયર અને વ્યવસાયની બાબતમાં લોકોને ખૂબ જ લાભ મળી શકશે.
વૈશ્વિક આર્થિક સંકટ
જ્યોતિષ અનુસાર ૨૦૨૨ પહેલા ભારત આર્થિક સંકટ હલ કરી શકશે નહીં જોકે ૨૦૨૦ અને ૨૦૨૧ માં મકર રાશિમાં શનિ અને ગુરુનો યોગ બની રહ્યો છે. જેના કારણે આર્થિક મંદી બહુ વધારે તેનો પ્રભાવ બતાવશે વૈશ્વિક મંદી પણ આવી શકે છે. શનિ અને ગુરુ નાં મિલનથી આખી દુનિયામાં આર્થિક સામાજિક અને રાજનૈતિક પરિવર્તન થઈ શકે છે. આમ તો શનિ સામાન્ય લોકો માટે હિતકારી ગણવામાં આવ્યા છે પણ ગુરુ ધન અને જ્ઞાન નાં પ્રતીક છે. જ્યારે બંનેની યુતી થાય છે ત્યારે અથવા તો બંન્ને સામસામે આવે છે ત્યારે મોટા રાજનૈતિક, સામાજિક અને આર્થિક બદલાવ આવી શકે છે.૨૦૨૦૧ માં શનિ અને ગુરુની યુતી બે વાર થવા જઈ રહી છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં શનિ-ગુરુ મકર રાશિમાં યુતિ કરશે અને આ યુતિથી દુનિયાભરમાં વિશ્વ યુદ્ધ જેવી હાલત થઇ શકે છે. વૈશ્વિક આર્થિક મંદીની અસર ભારત, જાપાન, અમેરિકા, યુરોપ નાં કેટલાક દેશો પર પડશે.એપ્રિલ ૨૦૨૨ બાદ આ સ્થિતિઓ માં રાહત મળવાની સંભાવના છે. જણાવી દઈ કે એપ્રિલ ૨૦૨૨ થી જાન્યુઆરી ૨૦૨૩ સુધી જ્યારે ગુરુનું ગોચર મીન રાશિમાં થશે ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેજી આવશે.
શું નિયંત્રણ માં રહેશે કોરોના
જ્યોતિષ વિદ્વાનો અનુસાર ડિસેમ્બર ૨૦૨૦ થી લઈને જાન્યુઆરી ૨૦૨૧ માં કોરોનાની અસર ઓછી થઈ જશે. એવામાં લોકોના જીવન ફરી કાર્યરત થઈ શકે છે કોવિડ નું જલ્દી સમાધાન મળવાના યોગ છે. ઓગષ્ટ મહિના સુધી પૂરી રીતે સ્થિતિ સામાન્ય થઇ જવાની સંભાવના છે.
સંચાર નો કેવો પ્રભાવ રહેશે
૨૦૨૧ બુધ ગ્રહની વક્રી ચાલ ખૂબ જ મહત્વપૂર્ણ થવાની છે. એવામાં ભારત નાં બીજા દેશો સાથે સારા સંબંધો સ્થાપિત થઇ શકે છે. તમને જણાવી દઈએ કે. ૩૦ જાન્યુઆરી થી લઇ ને ૨૧ ફેબ્રુઆરી ના સમય દરમિયાન બુધ નું કુંભ રાશિમાં ગોચર થશે અને ૨૯ મે થી ૧૧ જૂન સુધી મિથુન રાશિમાં ત્યારબાદ ૨૭ સપ્ટેમ્બરથી ૨૩ ઓક્ટોમ્બર સુધી તુલા રાશિમાં વક્રી રહેશે.
રાહુ – કેતુનો પ્રભાવ
કુંડળી ના બીજા ઘરમાં રાહુની ની હાજરી અર્થવ્યવસ્થા નષ્ટ થઈ શકે છે અને અપરાધો માં વધારો થશે. ત્યાં જ આઠમા ભાવમાં કેતુ નું પણ જોખમ બની રહ્યું છે તેનાથી રોજગારમાં નુકસાન થઈ શકશે અને સાંપ્રદાયિક હિંસા માં વધારો થશે. વૃષભ અને વૃશ્ચિક રાશિ રાહુ-કેતુના માટે મજબૂત રાશિ ગણવામાં આવે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ લઈને માર્ચ ૨૦૨૨ સુધી માં થયેલ દુર્ઘટનાઓનો પ્રભાવ લાંબા સમય સુધી રહેશે. એટલે કે, ૧૮ મહિનાઓ માં આર્થિક મંદી, નોકરીમાં નુકસાન, ઉદ્યોગ-ધંધા અને બેંક માં નુકશાન થવાની સંભાવના રહેલી છે.